SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ २४८ ૨/૨ રા તે માટŪ દ્રવ્ય-ગુણ-પર્યાયનો અભેદ જ સંભવઈ. એહવો અભેદનયનો ગુરુનો ઉપદેશ “લહીનઈં તુમે ભવ્ય પ્રાણી ! ધારો. *જિમ ભાવાર્થ જાણો* Dભવિક જન !J ||૩/૧|| द्रव्य-गुण-पर्यायाणामभेद एव स्वीकर्तव्यः । प भो ! भव्या ! इत्थम् अभेदनयपुरस्कारप्रकारेण इदं गुरुदितं स्व-परतन्त्रपारदर्शिगुरूक्तं रातत्त्वं धारयत निजहृदि ।। ध्रुवपदव्याख्यानम् ।। इदमत्राकूतम् - ययोः लोकव्यवहारेण एकान्ततो भेदो ज्ञायते तयोः संयोगादिसम्बन्धः सम्भवति, घट-पटादिवत् किन्तु तादात्म्यसम्बन्धः स्वरूपसम्बन्धो वा नैव सम्भवति । गुण-गुणिभावः पर्याय -पर्यायिभावश्च स्वरूपसम्बन्ध एव अपृथग्भावलक्षणः । घट- तत्स्वभावयोः अपृथग्भावसम्बन्ध इव ज्ञानादिगुण-चेतनद्रव्ययोः गुण - गुणिभावः संसारित्वपर्याय- चेतनद्रव्ययोश्च पर्याय -पर्यायिभावः स्वरूपर्णि सम्बन्धलक्षणः तयोरभेदे एव सम्भवति । ततश्चेदं सिध्यति यदुत आत्मा ज्ञानादिस्वरूप एव, संसारित्वलक्षणा आत्मावस्था आत्मस्वरूपैव । इत्थं स्वगुण - पर्यायैः सहात्मनः कथञ्चिदभेदादेव गुण का -गुणिभावादिसम्बन्धः सङ्गच्छत इत्यवधेयम्। થઈ શકશે. માટે દ્રવ્ય, ગુણ અને પર્યાય વચ્ચે સાપેક્ષરૂપે અભેદ જ સ્વીકારવો જોઈએ. (૪.) હે ભવ્ય આત્માઓ ! આ રીતે સ્વ-પરદર્શનના પારગામી એવા ગુરુ ભગવંતે અભેદનયને મુખ્ય બનાવવા દ્વારા દર્શાવેલ તત્ત્વને તમે પોતાના હૃદયમાં ધારણ કરો. (ધ્રુવપદવ્યાખ્યા) * ગુણ-ગુણિભાવ ‘સ્વરૂપ’ સંબંધ છે. Cu (મ.) અહીં તાત્પર્ય એ છે કે ઘટ-પટાદિ જે બે પદાર્થ વચ્ચે લોકવ્યવહારથી એકાંતે ભેદ જણાતો હોય ત્યાં સંયોગ વગેરે સંબંધ હોઈ શકે છે. પરંતુ તાદાત્મ્ય કે સ્વરૂપસંબંધ ન જ સંભવી શકે. ગુણ -ગુણિભાવ સંબંધ અને પર્યાય-પર્યાયિભાવ સંબંધ તો સ્વરૂપસંબંધ છે. સ્વરૂપસંબંધ તો અપૃથક્ભાવાત્મક છે. જે પદાર્થોને પરસ્પર જુદા પાડી ન શકાય તે પદાર્થો વચ્ચે પરસ્પર અપૃથક્ભાવ હોય છે. તે જ સ્વરૂપસંબંધ છે. જેમ કે ઘટ અને ઘટના સ્વભાવને એકબીજાથી છૂટા પાડી શકાતા નથી. તેથી ઘટ અને ઘટસ્વભાવ વચ્ચે અપૃથભાવાત્મક સ્વરૂપસંબંધ કહેવાય છે. અર્થાત્ જે પદાર્થો એકબીજાથી જુદા લાગવા છતાં વાસ્તવમાં જુદા ન હોય, ભિન્ન ન હોય તેવા પદાર્થો વચ્ચે સ્વરૂપ સંબંધ હોય છે. જ્ઞાનાદિ ગુણો અને સંસારિત્વ આદિ પર્યાયોની સાથે ચેતન દ્રવ્યનો ગુણ-ગુણિભાવ સંબંધ અને પર્યાય-પર્યાયિભાવ નામનો સ્વરૂપ સંબંધ પ્રસિદ્ધ જ છે. તે તો જ સંભવી શકે, જો આત્મદ્રવ્ય અને તેના ગુણ-પર્યાય વચ્ચે અભેદ હોય. તેથી એવું સિદ્ધ થાય છે કે આત્મા જ્ઞાનાદિસ્વરૂપ જ છે. સંસારિત્વ આત્માની એક અવસ્થા છે કે જે આત્મસ્વરૂપ જ છે. આમ પોતાના ગુણની સાથે અને પોતાના પર્યાયની સાથે આત્મદ્રવ્યનો કથંચિત્ અભેદ હોવાથી જ ગુણ-ગુણિભાવ આદિ સુપ્રસિદ્ધ સ્વરૂપસંબંધ સુસંગત થઈ શકે છે. નવાપુ गुण-गुणिनोरभेदसमर्थनम् र्श அ = அ = * પુસ્તકોમાં ‘ભણીનઈ-ભવ્ય...' પાઠ છે. પા.નો પાઠ અહીં લીધેલ છે. *...* ચિહ્નદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. આ.(૧)માં છે. I...I ચિહ્નદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. લા.(૨)માં છે.
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy