SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ ४/१३ • युगपदखिलनयसमावेशसंमतिः । ५०७ किञ्च, सप्तभङ्ग्यां प्रतिभङ्गं सकलादेशयोजने तु एकयाऽपि सप्तभङ्ग्या सप्त प्रमाणवाक्यानि प लभ्यन्ते इति वक्ष्यतेऽनुपदमेव (४/१४)। ततश्च सप्तसु सकलादेशात्मकेषु सप्तभङ्गीवाक्येषु सा प्रत्येकं प्रमाणवाक्यलक्षणं सकलनयार्थप्रतिपादकतापर्याप्त्यधिकरणवाक्यत्वं सिध्यति । ततश्च युगपन्नयद्वयसमाहारतः स्यात्पदमहिम्ना प्रत्येकं सप्तभङ्गीवाक्यात् सकलनयार्थगोचरसमूहालम्बनात्मकः । शाब्दबोधोऽनाविल एव। ___ एवं नानानयानुसारेण प्रस्थकादिविचारे विधिकोटौ एकं नयं निधाय प्रतिषेधकोटौ प्रत्येकनयवद् क युगपदखिलाऽवशिष्टनयनिवेशेऽपि न काचित् शास्त्रबाधा आपद्यते। ततश्च प्रस्थकाद्युदाहरणे આમ એવંભૂતનયને ઉપરોક્ત વાક્ય સકલનયાર્થપ્રતિપાદકતાની પર્યાતિનું અધિકરણ બનતું નથી. માટે પ્રમાણવાક્યના લક્ષણની એવંભૂતનયના (સકલનયાર્થપ્રતિપાદક) વાક્યમાં અતિવ્યાપ્તિ આવતી નથી. આથી કોઈ પણ એક નયનું વાક્ય પ્રમાણવાક્યના લક્ષણથી યુક્ત નહિ બને. તેથી એક પણ નયવાક્યમાં પ્રમાણવાક્યના લક્ષણની અતિવ્યાપ્તિ નહીં આવે. આ પ્રમાણે તાત્પર્ય ફલિત થાય છે. 9 દરેક ભાંગામાં પ્રમાણલક્ષણની યોજના ( વિ4.) વળી, અહીં બીજી એક વાત એ પણ ધ્યાનમાં રાખવા જેવી છે કે સપ્તભંગીવાક્ય પ્રમાણવાક્યરૂપે જૈનદર્શનમાં માન્ય છે. સપ્તભંગીના સાતેય ભાંગામાં સકલાદેશની યોજના કરવામાં આવે તો એક સપ્તભંગી દ્વારા સાત પ્રમાણવાક્યો પ્રાપ્ત થાય છે. આ વાત આગળના શ્લોકમાં પ્રમાણનયતખ્તાલોકાલંકાર, સ્યાદ્વાદકલ્પલતા, ગુરુતત્ત્વવિનિશ્ચયવૃત્તિ વગેરે ગ્રંથના સંવાદ દ્વારા જણાવવામાં આવશે. [તથા સકલાદેશનું સ્વરૂપ પણ આગળના શ્લોકની (૪/૧૪ પૃષ્ઠ પ૩૪-૫૪૩) વ્યાખ્યામાં જણાવવામાં છે આવશે. આ વાત વાચકવર્ગે ધ્યાનમાં રાખવી.] તેથી સપ્તભંગીના પ્રત્યેક સકલાદેશાત્મક વાક્યમાં વા સકલનયાર્થપ્રતિ-પાદકતાની પર્યાપ્તિનું અધિકરણ વાક્યસ્વરૂપ ઉપરોક્ત પ્રમાણવાક્યનું લક્ષણ રહે છે. એકીસાથે દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિક કે અર્થનય-વ્યંજનનયસ્વરૂપ નયયુગલના સંવેધથી પ્રવૃત્ત થયેલી સપ્તભંગીના સ એક-એક ભાંગાને દર્શાવનારા વાક્ય દ્વારા પણ સકલનવાર્થનું પ્રતિપાદન થવાથી તેના દ્વારા સર્વ નયોને અભિપ્રેત એવા તમામ વિવક્ષિત અર્થોનું સમૂહાલંબનાત્મક ભાન થઈ શકે છે. જો કે સપ્તભંગીના પ્રત્યેક ભાંગામાં તે તમામ વિવક્ષિત અર્થોનું પ્રતિપાદન કરનાર જુદા જુદા અનેક શબ્દનો પ્રયોગ થતો નથી, પરંતુ “સ્યા’ શબ્દનો પ્રયોગ થાય છે. આ “સ્યા’ શબ્દ જ તે તમામ વિવક્ષિત અર્થોનું પ્રતિપાદન કરવામાં સમર્થ છે. તેથી સપ્તભંગીના પ્રત્યેક વાક્ય દ્વારા સકલનયાર્થવિષયક સમૂહાલંબનાત્મક જ્ઞાન = શાબ્દબોધ માનવામાં કોઈ જ શાસ્ત્રીય વાંધો આવતો નથી. નિષેધકોટિમાં એકીસાથે અનેકનયપ્રવૃત્તિ માન્ય છે, (વે.) આ રીતે પ્રસ્થક વગેરે દૃષ્ટાંતની અનેક નિયોના આધારે વિચારણા કરવામાં આવે ત્યારે વિધિકોટિમાં એક નયને ગોઠવી, નિષેધકોટિમાં તેના પ્રતિપક્ષી ફક્ત એક નયને ગોઠવવાની જેમ બાકીના તમામ નયોને એકીસાથે નિષેધકોટિમાં ગોઠવવામાં શાસ્ત્રીય બાધ જણાતો નથી. તેથી સ્યાદ્વાદરત્નાકરમાં વાદિદેવસૂરિજીએ પ્રસ્થક વગેરે દષ્ટાંતમાં નૈગમના પ્રતિપક્ષરૂપે જેમ સંગ્રહ આદિ એક એક નયને અલગ
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy