SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૩/ ́ ☼ एकान्तवादसमालोचनायां निन्दाविरहः ३५५ - -परस्वरूपाविर्भावनं कुर्मः, न च वस्तुस्वरूपाविर्भावने परापवादः, तथा चोक्तम् - “ नेत्रैर्निरीक्ष्य बिल - कण्टक पु -कीट-सर्पान्, सम्यक् पथा व्रजति तान्परिहृत्य सर्वान् । कुज्ञान-कुश्रुति-कुमार्ग-कुदृष्टिदोषान्, सम्यग्विचारयत હોડત્ર પરાપવાવઃ ?।।” (સ્રોતત્ત્વનિર્ણય-૨૧) ફત્યાવિ। यदि वैकान्तवादिनामेव अस्त्येव, नास्त्येव, नित्यमेवानित्यमेव, सामान्यमेव, विशेषा एवेत्याद्यभ्युप- न गमवतामयं परस्परगर्हाख्यो दोषः, नास्माकमनेकान्तवादिनाम्, सर्वस्यापि सदसदादेः कथञ्चिदभ्युपगमाद्” (યૂ..ક્યુ.હ્ર.૨/૪.૬/મૂ.૧૨/પૃ.૩૧૨) ત્યુત્તમિતિ દ્યુતસિનિઘ્યેયમ્। प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - ' द्रव्य-गुण-पर्यायाणां मिथः कथञ्चिद् भेदाभेदी' इति कृत्वा आत्मनो मान-मताग्रह-महत्त्वाकाङ्क्षा-ममतादिवशतायां निर्मलगुण-पर्याया विनश्यन्ति, तेषां कथञ्चिद् र्णि અન્યદર્શનીને કાણો, લંગડો, કોઢીયો વગેરે તુચ્છ શબ્દોથી નવાજતા નથી. અમે તો સ્વ-પરનું સ્વરૂપ જણાવીએ છીએ. તથા વાસ્તવિક વસ્તુના સ્વભાવનું વર્ણન કરવામાં નિંદાને અવકાશ નથી. પિત્તળને સોનું કહેનાર માણસને આ સોનું નથી, પિત્તળ છે’- આમ કહીએ એટલા માત્રથી તે માણસની નિંદા કરી એમ ન જ કહેવાય ને તેથી જ તો લોકતત્ત્વનિર્ણય ગ્રંથમાં શ્રીહરિભદ્રસૂરિજીએ પણ જણાવેલ છે કે “આંખ દ્વારા માર્ગને સ્પષ્ટ રીતે જોઈને માર્ગમાં રહેલ સાપના દ૨, કાંટા, કીડા, સાપ વગેરેનો પરિહાર કરીને કોઈ માણસ સાચા માર્ગથી જાય તો તેમાં તેણે જેમ સર્પદર વગેરેની નિંદા કરી કહેવાતી નથી. તેમ જ્ઞાન, મિથ્યા શાસ્ત્ર, મિથ્યા માર્ગ, ખોટી દૃષ્ટિ વગેરે મોક્ષબાધક દોષોનો પરિહાર કરીને (અર્થાત્ તે દોષો પોતાને લાગુ પડી ન જાય તે રીતે) સાચા માર્ગે કોઈ ચાલે તો તેમાં તેને બીજાની નિંદા કરવાનો દોષ કઈ રીતે લાગુ પડે ? આ બાબત તમે સારી રીતે વિચારો.' (ખોટા સોનાની = - પિત્તળની લગડી છોડીને સાચા સોનાની લગડીને સોની પાસેથી ખરીદી કરનાર વ્યક્તિ કોઈની નિંદા Cu કે કોઈને અન્યાય કરતો નથી પણ પોતાને નુકસાન ન થાય તેની કાળજી રાખે છે.) જી એકાંતવાદીઓ પરસ્પરનિંદક ) (વિ.) અથવા એમ કહી શકાય કે ગહ દોષ એકાન્તવાદીઓને જ લાગુ પડે છે. કેમ કે તેઓ ‘આત્માદિ વસ્તુ એકાન્તે સત્ છે, એકાન્તે અસત્ છે, એકાન્તે નિત્ય છે, સર્વથા અનિત્ય છે. સામાન્ય જ છે અથવા વિશેષ જ છે’- ઈત્યાદિ સ્વરૂપે પ્રરૂપણા કરવા દ્વારા તેઓ એકબીજાની નિંદા કરી રહેલા છે. અનેકાન્તવાદી એવા અમને આ નિંદા દોષ લાગુ પડી શકતો નથી. કેમ કે અમે તો એકાન્તવાદીએ સ્વીકારેલ સત્ત્વ, અસત્ત્વ, ભેદ, અભેદ વગેરે ગુણધર્મોનો સાચા દૃષ્ટિકોણથી સમન્વય કરીએ છીએ.” તેથી આ રીતે તત્ત્વનિરૂપણ કરવામાં, એકાન્તવાદની સમાલોચના કરવામાં અન્યદર્શનીની નિંદા કરવાના દોષને લેશ પણ અવકાશ નથી. આ વાતને વાચકવર્ગે પોતાના મનમાં સારી રીતે સ્થાપિત કરવી. સ્વ પ્રત્યે કઠોર અને પર પ્રત્યે કોમળ બનો આધ્યાત્મિક ઉપનય :- દ્રવ્ય-ગુણ-પર્યાયમાં કથંચિત્ ભેદાભેદ છે” – આ વાત આધ્યાત્મિક દૃષ્ટિએ એ રીતે ઉપયોગી બની શકે કે પ્રગટ થયેલા આપણા નિર્મળ ગુણ-પર્યાયો આત્માથી જુદા હોવાના કારણે જો સાવધાની રાખવામાં ન આવે અને માન, મતાગ્રહ, મહત્ત્વાકાંક્ષા કે મમતાને આધીન થઈ જઈએ તો તેને રવાના થતાં વાર ન લાગે. તેથી સતત જ્ઞાનગર્ભિતવૈરાગ્યભાવનાથી આપણે ભાવિત [ j रा
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy