SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ २०९ २/१२ ० वाचकमुख्यवचनाऽविरोध: 0 ___सामान्यसञ्ज्ञा तु पर्यायपदेनैवेति नानुपपत्तिरिति युक्तं पश्यामः ।। इदमेवाऽभिप्रेत्य तत्त्वार्थवृत्तौ सिद्धसेनगणिवरेण “वस्तुतः पर्याया गुणा इत्यैकात्म्यम्” (त.सू.५/३८ वृ.पृ.४२८) प इत्युक्तम् इति पूर्वोक्तम् (२/११) अनुसन्धेयमत्र । क्रमभावि-सहभाविवस्तुपरिणामानां सामान्यसञ्ज्ञा तु पर्यायपदेनैव इति नानुपपत्तिरिति युक्तं पश्यामः इति महोपाध्याययशोविजयवाचकमतं कोबा । -माण्डलभाण्डागारस्थयोः द्रव्य-गुण-पर्यायरास-स्तबकहस्तादर्शयोः व्यक्तम् । म तदुक्तम् अनेकान्तव्यवस्थाप्रकरणे अपि “सहभाविधर्मवाचकगुणशब्दसमभिव्याहृतस्य पर्यायशब्दस्य । धर्ममात्रवाचकस्यापि ‘गो-बलिवर्द'न्यायेन तदतिरिक्तधर्मप्रतिपादकत्वे दोषाभावात् । न हि काल्पनिको गुण र -પર્યાયયોઃ મેવો વાસ્તવે તમેä વિરુદ્ધ” (ને.ચ.ઝ.પૃ.૭૬) તા. किञ्च, पर्यायस्य गुणव्यतिरिक्तत्वे “द्रव्याश्रयाः निर्गुणाः गुणाः” (त.सू.५/४०) इति तत्त्वार्थसूत्रोक्तस्य ण છતાં તે બન્ને વચ્ચે ફક્ત નામભેદ જ છે, અર્થભેદ નથી. આ જ અભિપ્રાયથી તત્ત્વાર્થસૂત્રવ્યાખ્યામાં શ્રીસિદ્ધસેનગણિવરે જણાવેલ છે કે “વાસ્તવમાં તો પર્યાય કહો કે ગુણ કહો - બન્ને એક જ છે.” પૂર્વે (૨/૧૧) આ વાત જણાવેલ છે. તેનું અહીં અનુસંધાન કરવું. તેથી તે રીતે તો પર્યાયભિન્ન ગુણની સિદ્ધિ થવાની આપત્તિને કે વિરોધને અવકાશ નથી. ક્રમભાવી અને સહભાવી વસ્તુપરિણામોની સામાન્ય સંજ્ઞા તો “પર્યાય શબ્દ જ છે. માટે કોઈ અસંગતિ નથી. આ વાત અમને યુક્તિસંગત જણાય છે - આ મુજબ મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજનું મંતવ્ય કોબાના અને માંડલના જ્ઞાનભંડારમાં રહેલ દ્રવ્ય-ગુણ-પર્યાય રાસ અને તેના સ્તબકની (=ટબાની) હસ્તપ્રતોમાં સ્પષ્ટપણે ઉપલબ્ધ થાય છે. ગુણ-પર્યાયમાં ભેદકલ્પનાનું પ્રયોજન (કુ) મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે અનેકાંતવ્યવસ્થાપ્રકરણમાં કહેલ છે કે “પ્રસ્તુતમાં ગુણ'શબ્દ દ્રવ્યસહભાવી પરિણામનો વાચક છે. તથા પર્યાય શબ્દ પરિણામમાત્રનો વાચક છે. અર્થાત્ | પરિણામ ચાહે ક્રમભાવી હોય કે સહભાવી હોય, તે તમામ પરિણામોનો વાચક “પર્યાય શબ્દ છે. પરંતુ ગુણ'શબ્દના પ્રયોગની સાથે જ્યારે પર્યાય શબ્દનો પ્રયોગ કરવામાં આવે ત્યારે વસ્તુસહભાવી પરિણામ છે, કરતાં ભિન્ન એવા = ક્રમભાવી પરિણામનો તે પ્રતિપાદક બને છે. આવું પ્રતિપાદન “ગો-બલિવઈ ન્યાયથી થાય છે, તથા આવું માનવામાં કોઈ દોષ આવતો નથી. કેમ કે ગુણ અને પર્યાય વચ્ચે કાલ્પનિક ભેદ તે બન્નેમાં રહેલા વાસ્તવિક અભેદનો વિરોધ કરી શકતો નથી. તથા ગુણ અને પર્યાય વચ્ચે ભેદની કલ્પના કરવાનું પ્રયોજન તો તે તે સ્થળમાં વિશેષ પ્રકારની શાબ્દબોધસ્થલીય સમજણ આપવાનું જ છે.” છે ભેદપક્ષમાં ગુણલક્ષણની અતિવ્યાતિ છે (વિશ્વ.) વળી, પર્યાય કરતાં ગુણને ભિન્ન માનવામાં આવે તો તત્ત્વાર્થસૂત્રમાં બતાવેલ ગુણના લક્ષણની પર્યાયમાં અતિવ્યાપ્તિ આવશે. તત્ત્વાર્થસૂત્રમાં જણાવેલ છે કે “જે દ્રવ્યમાં રહેલ હોય અને ગુણશૂન્ય હોય તેને ગુણ કહેવામાં આવે છે.” આ લક્ષણ તો પર્યાયમાં પણ જાય છે. કારણ કે પર્યાયો પણ દ્રવ્યમાં રહે છે અને ગુણરહિત હોય છે. માટે જો ગુણને પર્યાયથી સ્વતંત્ર માનીએ તો ગુણના લક્ષણની પર્યાયમાં અતિવ્યાપ્તિ આવશે. અલક્ષ્યમાં લક્ષણનું જવું તે અતિવ્યાપ્તિ કહેવાય. ગુણના લક્ષણનું ..' ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. શાં.+કો.(૯)+આ.(૧)માં છે.
SR No.022378
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages432
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy