SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ ર/૧ T • कार्यमिथ्यात्वसमर्थनम् 0 પ્રત્યે સામત્યેન વા વર્તોત?, (B) શશિમાવેન વા? (A) સામર્ચન, વિવિવદુત્વપ્રસન્T (B) ૫ नाऽप्यंशेन, पूर्वविकल्पाऽनतिक्रमेण अनवस्थाप्रसङ्गात् । तस्माद् विचार्यमाणं न कथञ्चिद् वस्तु आत्मभावं लभते । ततः सर्वमेव एतद् माया-स्वप्नेन्द्रजाल-मरुमरीचिकाविज्ञानसदृशम् । तथा चोक्तम् – “यथा यथाऽर्थाः । चिन्त्यन्ते, विविच्यन्ते तथा तथा। यद्येतत् स्वयमर्थेभ्यो रोचन्ते तत्र के वयम् ?" ( ) इत्यादि” (सू.कृ. म શ્ર..૨/.૧/.૭૨/9.રૂ૭૭) રૂતિ વ્યરૂં સૂત્રતાસૂત્રવૃત્તો યુષ્ય વારસૂત્રે “નસ સ્થિ પુરે પછા, મન્ને તરૂ ગો સિયા ?” (ક.રૂ.૪/૪/૧૪૬) इत्युक्तं तत् प्रकृतसकलप्रबन्धमूलरूपेण बहुश्रुतैः अवसेयम् । તેમ સિદ્ધ થાય છે. તે આ રીતે – “અવયવી દ્રવ્ય જો રહે તો પોતાના અવયવોમાં જ રહી શકે, અન્યત્ર નહિ - આટલી બાબત તો નિર્વિવાદ છે. હવે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે (A) અવયવી પોતાના જેટલા પણ અવયવો છે તે તમામમાં સંપૂર્ણપણે રહે છે કે (B) આંશિકપણે રહે છે ? (A) જો સ્વકીય તમામ અવયવોમાં અવયવી દ્રવ્ય સંપૂર્ણપણે વ્યાપીને રહે તો જેટલા અવયવો છે તેટલા અવયવીદ્રવ્યો ઉત્પન્ન થવાની આપત્તિ આવશે. દા.ત.૧૦૦ તંતુઓ દ્વારા પટનું નિર્માણ થાય અને તે પટસ્વરૂપ અવયવી પ્રત્યેક તંતુમાં સંપૂર્ણપણે વ્યાપીને રહે તો તંતુ ૧૦૦ હોવાથી ૧૦૦ પટ ઉત્પન્ન થવાની આપત્તિ આવે. તથા (B) પોતાના સર્વ અવયવોમાં અવયવી દ્રવ્ય આંશિકપણે રહે તે પણ શક્ય નથી. કેમ કે અહીં પણ ફરીથી પ્રશ્ન ઉપસ્થિત થશે કે “અવયવીનો એક દેશ = અંશ પણ પોતાના અવયવોમાં આંશિકપણે રહેશે કે સંપૂર્ણતયા?” અહીં પણ જો એકદેશથી = આંશિકપણે રહે તો ફરીથી તે જ પ્રશ્નની પરંપરા એવી લાંબી ચાલશે કે જેનો અંત જ ન આવે. આ રીતે અનવસ્થા દોષ પ્રાપ્ત થશે. આ રીતે વિચારણા કરવામાં આવે તો અવયવી નામની છે વસ્તુ કોઈ પણ પ્રકારે પોતાના અસ્તિત્વને ધારણ કરી શકતી નથી. આ પદાર્થવિચારથી પદાર્થવિલય . | (તા.) તેથી જે દેખાય છે તે બધું જ માયાજાળ સમાન, સ્વમતુલ્ય, ઈન્દ્રજાળ જેવું, મૃગજળજ્ઞાન દેશ છે જ છે. તેથી જ તો અન્ય ગ્રંથમાં પણ જણાવેલ છે કે “જેમ જેમ બાહ્ય પદાર્થોના અસ્તિત્વની વિચારણા કરવામાં આવે છે તેમ તેમ તે પદાર્થો વીખરાતા જાય છે, યુક્તિથી અસંગત બનતા જાય છે. જો પદાર્થોને જ આ પ્રમાણે સ્વયં વીખરાઈ જવું પસંદ હોય તો તેને અટકાવનારા આપણે કોણ?' મતલબ કે અમને કાર્યદ્રવ્ય - અવયવીદ્રવ્ય પ્રત્યે કોઈ ષ નથી કે અમે તેનો અમલાપ કરીએ, તેના અસ્તિત્વનો ઈન્કાર કરીએ. પણ ઘટાદિ પદાર્થોને જ પોતાનું અસ્તિત્વ ધારણ કરવું ઉપરોક્ત રીતે પસંદ નથી. તેથી બાહ્ય વસ્તુ = અવયવી દ્રવ્ય અસત છે, મિથ્યા છે - તેમ સિદ્ધ થાય છે.” આ પ્રમાણે શ્રીશીલાંકાચાર્યજીએ સૂત્રકૃતાંગસૂત્રવ્યાખ્યામાં બૌદ્ધદર્શનસંમત નિરંશવસ્તુવાદી શુદ્ધનિશ્ચયનયનો અભિપ્રાય જણાવે છે. ૪ આચારાંગમાં મૂળ ઉદ્ભવસ્થાન x (વ્ય.) આચારાંગસૂત્રમાં જેનું આગળ કે પાછળ અસ્તિત્વ ન હોય, તેનું વચ્ચે પણ ક્યાંથી હોય? 8 प्रमाणवार्तिके “यथा यथाऽर्थाश्चिन्त्यन्ते विशीर्यन्ते तथा तथा" (प्र.वा.२/२०९ उत्तरार्धः)। “यथा यथा विचार्यन्ते, વિશીર્યને તથા તથા ચતત વયમર્ચે રોરતે તત્ર વયમ્ ?” તિ વિજ્ઞાન દ્ધતમ્ (આ.મ.૨૭/૧૨૬) 1, થી નાસ્તિ પુર: પુણ્યાત્, મગે તી ત: થાત્ ?
SR No.022378
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages432
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy