SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ (૮૯) તે ખેદ થાય, પરંતુ જે પ્રવૃત્તિને સંત પુરુએ નિરંતર પ્રશંસી છે, તેવી નિર્મળ પ્રવૃત્તિ અંગીકાર કરવાની છે, તેમાં ખેદ હેય? વળી કંઈ કલેષ સહન કરવાનું હોય તો પણ ખેદ થાય, પણ અહીં તે ભગવાનના ચરણરૂપ આચરણનું સ્મરણ-ચિંતવન માત્ર કરવાનું છે, તેમાં કલેષ કયાંથી હોય? તથા સાધન કરતાં જે કંઈ આપણું ધન જતું હોય તે વખતે દુઃખ થાય, પણ અહીં તે જેને સર્વથા નાશ કરે જ ઈષ્ટ છે, કે જે જીવના સુખને જ પ્રતિબંધક છે, તેને જ નાશ કરવાનું છે તેમ થતાં ભય હેય? અર્થા-કર્મ પ્રવૃતિઓને નાશ થાય એ રૂપ ખર્ચ છે, પણ પિતાનું જેમાં કાંઈ ખર્ચ થતું નથી. વળી સાધનનું જે જરા જેટલું તુચ્છ ફળ હોય છે તે આપણને કાંઈ કાર્યકારી ઓછું હોય, પણ અહીં તે ધ્યાનનું ફળ સર્વોત્કૃષ્ટ મેક્ષ છે, એ શું થોડું કાર્યકારી ફળ છે? વળી સાધનનો કાળ જે લાંબા હોય તે પણ વખતે ખેદ થાય–પણું ધ્યાનનો કાળ પણ થડે છે, તેમાં ખેદ શાને? સાધન પરાધીન હોય તેપણુ ખેદ થાય, પણ અહીતા પિતાના મનરૂપ સ્વાધીન સાધન વડે સર્વોત્કૃષ્ટ સાધ્યની સિદ્ધિ કરવાની છે, તેમાં ખેદ શાને? વળી જ્યાં ત્યાં સાધ્યને અર્થે બ્રમણ કરવાનું હોય તો કદાપી થાક લાગે, પણ અત્રે તે અન્ય વિચારથી છેડાવી ચિત્તને એક શુદ્ધાત્માને વિષે જ લગાવવાનું છે. તેમાં ખેદ કે શ્રમને સંભવ જ નથી. તો હે ભાઈ! આવું સરલમાં સરલ ધ્યાનરૂપી તપ કરવું તેમાં તને ખેદ કે શ્રમ જેવું શું ભાસે છે? તુજ વિચાર કર, અને તપમાં અનાદર ના કર ! અહીં શિષ્ય પૂછે છે કે-ધ્યાન વિષે તે કષ્ટ નથી, પણ અનશનાદિ તપ વિષે તો જરૂર કષ્ટ છે. (ઉત્તર) અનશનાદિ તપમાં તે ત્યારે જ કષ્ટ થાય છે કે જ્યારે તે સરલ સ્વાભાવિક અને જ્ઞાનહાસ સિવાય ખેંચી તાણને કરવું પડે. પણ અત્રે તો પરિણામ પ્રમાદી ન થાય, કલેષરૂપ ન થાય, તેમ ધ્યાનની સિદ્ધિના અથે ઉલહાસ પૂર્વક કરવામાં આવે છે, તેથી તેમાં કષ્ટ ન હેય. વળી જે જી એ અનશનાદિ તપમાં કલેશ અને કષ્ટ દેખે છે, તે માત્ર તેઓને અત્યંતર પ્રમાદ જ છે. જુઓ કૃષિકાર આદિ સંસાર પરિણામી જી કષાયવશ તેવાં અનશનાદિ કે તેથી પણ વિપુલ કષ્ટ રાજી ખુશીથી ઉહાસસહ કયાં નથી વેઠતા? તે પછી આત્મસ્વભાવની નિર્મળતાના હેતુભૂત એ અનશનાદિ તપ તને શું કષ્ટરૂપ લાગે છે? તપ કષ્ટરૂપ લાગવાનું કારણ માત્ર તારી તે પ્રત્યે અરુચી છે. ધનાદિ વિનાશિ વસ્તુઓની પાછળ અજ્ઞાન અને મોહવશે ઘેલે બનેલ-પરાધીન થયેલ જીવ કેટલું કષ્ટ, કેટલે ખેદ, કેટલું અપમાન, અને કેટલી પરાધીનતા સહન કરે છે. અને એટલું બધું જીવન પર્યત સહન કરવા છતાં પણ
SR No.022377
Book TitleAtmanushasan
Original Sutra AuthorN/A
AuthorSomchand Amthalal Shah
PublisherShrimad Rajchandra Nijabhyas Mandap
Publication Year1953
Total Pages240
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy