SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૧) છે, છતાં કાઈ કાઈ વેળા મઢ કષાય જન્ય ખાહ્ય શુભાચાર રૂપ પ્રવૃત્તિ વિષે જેને ઉપયાગ પ્રવર્તે છે. એવા એ મુનિજનેાના મહિમાનું શું વણૅન કરીયે ? કાણુ જાણે એવા તે કયા ઉદ્વાર તપના ફળરૂપ તેની આવી પરિણતી વતતી હશે ? વળી અતુલ છે વૈરાગ્ય અને શાસ્ત્ર ચિંતવન જેનું, સર્વોત્કૃષ્ટ છે સ જીવા ઉપર ક્રયા પરિણામ જેના, એકાંતવાદ રૂપ મહા હઠીલા અંધકારના વિસ્તારને દુર કરવામાં પ્રકાશમાન સૂર્યના કીરણુ સમાન તીક્ષ્ણ છે બુદ્ધિ જેની, અને શાસ્ત્રોક્ત વિધિસહુ અનશન ધારી નિ†મત્વ ભાવે સમાધિમરણુરૂપ પરમ લાભ પામે છે જે એવા એ સત્પુરૂષાના મહદ્ભાગ્યનું શું વર્ણન કરવું ? મને તે લાગે છે કે આ બધુ કોઈ પૂર્વના મહાન સમ્યક્તપનું જ ફળ છે. સ` સંસારી જીવા ઇંદ્રિયવશ પરાધીન છે, એમની પ્રત્યેક ગમનાદ્વિક પ્રવૃત્તિ એ ઇંદ્રિય વિષય કામનાને અર્થે જ પ્રવર્તે છે. પરંતુ મુનિજનાના વિદ્વાર નિર્વાચ્છક અને સ્વાધિન હેાય છે. વર્ષા રૂતુ વિના ઘણા સમય એક જ સ્થાને તે સ્થિરતા કરે નહિ. કારણ એક સ્થાને ઘણા સમય વાસ કરવાથી જીવની અનાદિ સંસાર પરિણતી લેાકના સ્નેહથી પ્રતિમદ્ધપણાને પામી જાય, અથવા તે તે ક્ષેત્રાદિથી પણ પ્રતિબધપણાને પામે. પદાર્થની સાથે જીવનેા પ્રતિબંધ એ જ સુખ અને વૈરાગ્યના કાળ છે. વૈરાગ્ય પરિણતીની વૃદ્ધિને અર્થે જે વિહાર કરે છે, તે એવી અજ્ઞાનરૂપ પ્રતિમધતા આત્માને કેમ થવા દે? સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી છુટવાના અભ્યાસી મહાપુરુષને એવી એક ઠામ સ્થિરતા કરવી એ પ્રતિકૂળ છે. કારણ એથી આત્મવૃત્તિ પ્રાયે ક્ષેત્રાકારપણાને પામી જાય છે, અને ક્ષેત્રાકારવૃત્તિ સંયમને હાની પમાડે છે. જેથી તે એક સ્થાનવાસ ઘણા વખત નહિ રાખતાં વિહારપણે પ્રવતે છે. જે જગાસી સંસારી જીવાનું લેાજન દીનતા સહિત છે, જ્યારે મુનિજના કેવળ અદ્દીન ભાવે લેાજનાદિ ગ્રહણ કરે છે. ધનાદિ રહિત દરિદ્ર છે તેએાની દીનતા તેા પ્રત્યક્ષ દેખાય છે, કારણ પેાતાની પાસે તે ઈષ્ટ સામગ્રી નથી એટલે પારકાની પાસેથી લાવી લાવી ચલવે છે. અને તે પણ ઘણી કઠણુતાથી જ મળે છે. એ વેળાના એમના હૃદયનો ચિતાર સમ્યક્ત્તાનીને જરૂર વૈરાગ્ય પમાડે તેવા હોય છે, મગાય નહિ, માગ્યા વિના ચાલે નહિ, માગતાં પણ સામાના આપવાનો ભરાંસા નહિ, માગતાં પગ પણ ઉપડે નહિ, છતાં વળી માગવું જ પડે એવી પેાતાની પરિસ્થિતિ હાય, કહો કેટલી દીનતા? પરંતુ જેએ ધનવાન છે, તે પણ નાના પ્રકારની ભાગ્ય સામગ્રીના નિરંતર અભિલાષી હોય છે. •
SR No.022377
Book TitleAtmanushasan
Original Sutra AuthorN/A
AuthorSomchand Amthalal Shah
PublisherShrimad Rajchandra Nijabhyas Mandap
Publication Year1953
Total Pages240
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy