SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૬) ૨ નહિ પણ સમ્યક હોય છે. અનાદિ મહમૂદ્ધ આત્માને તેટલે અવકાશ કયાંથી હોય કે તે નિજ પરિણતિ અને પ્રવૃત્તિ ઉપર જરાય લક્ષ દે! અને તેથી તે આ પંચપરાવર્તનરૂપ ભયંકર સંસાર પરિભ્રમણ તેને વર્તી રહ્યું છે. ગ્રંથકાર સ્વયં એ અશુભ, શુભ તથા શુદ્ધ એ ત્રણેની પ્રાપ્તિને અનુક્રમ બતાવે છે – तत्राप्याचं परित्याज्यं शेषौ न स्तः स्वतः स्वयम् । शुभं च शुद्धै त्यक्त्वान्ते प्रामोति परमं पदम् ॥ २४॥ પ્રથમ અશુભપગ છૂટે તે તેના અભાવથી પા૫ અને તજનિત પ્રતિકુળ વ્યાકુળતારૂપ દુઃખ સ્વયં દુર થાય. અને અનુક્રમે શુભના પણ છૂટવાથી પુણ્ય, તથા તજજનિત અનુકુળ વ્યાકુળતા–જેને સંસાર પરિણામી જ સુખ કહે છે, તેને પણ અભાવ થાય. કારણના અભાવથી કાર્યને પણ સ્વયં અભાવ થાય છે. એમ જ્યારે ઉપરોક્ત પ્રકારે જીવના પરિણામમાંથી શુભ પણ અનુક્રમે સર્વથા છૂટી જાય છે ત્યારે જીવ પરમ વીતરાગભાવરૂપ શુદ્ધોપચેગમાં નિવિંદનપણે સ્થિત થઈ અંતે પરમ નિઃશ્રેયસુરૂપ નિર્વાણુને સંપ્રાપ્ત થાય છે. કે જે દશા શુભાશુભરૂપ સર્વ વિકલ્પથી રહિત છે–પર છે. અશુભ અને શુભ એ બંને ઉપગના અંતમાં જ (અભાવમાં જ) જીવને શુદ્ધોપચેગ પ્રવર્તે છે. અશુભેપગના નિવારણથી જ શુભેપગ આત્મામાં વર્તે છે. આગળ દશા વિશેષતા પામતાં અર્થાત્ સમ્યજ્ઞાનના અપૂર્વ અને તીક્ષણ બળે શુદ્ધોપગ પ્રવર્તતાં પગ પણ સ્વયં છૂટી જાય છે તથા શુદ્ધપગના પ્રસાદે જીવ અનાદિ સંસાર પરિભ્રમણથી સર્વથા મુક્ત થાય છે. અહીં ચાર્વાકદષ્ટિ કહે છે કે આત્માના મેક્ષની વાત તમે પછી કરે, પણ પ્રથમ તેના અસ્તિત્વની જ શી ખાત્રી? કારણ તે જન્મથી મરણાંત સુધી કેઈને પણું દૃષ્ટિગત થતું નથી કે કેઈને નથી. વળી સાંખ્યદ્રષ્ટિ પૂછે છે કે સ્વભાવે કરી મુક્ત એવા આત્મામાં બંધમાક્ષના વિકલ્પ શા કરવા? ઉપરોક્ત બંને પ્રશ્નોનું ગ્રંથકાર નીચેના લેકથી સમાધાન કરે છે - अस्त्यात्माऽस्तमितादिबन्धनगतस्तबंधनान्यायवै स्ते क्रोधादिकृताः प्रमादजनिताः क्रोधादयस्तेऽनृतात् ।
SR No.022377
Book TitleAtmanushasan
Original Sutra AuthorN/A
AuthorSomchand Amthalal Shah
PublisherShrimad Rajchandra Nijabhyas Mandap
Publication Year1953
Total Pages240
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy