SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૬) આવી સર્વોત્કૃષ્ટ દશા સંપ્રાપ્ત થવા છતાં પણ તેથી પતિત થવાને ભય તેને વર્તે છે. दासत्वं विषयप्रभोर्गतवतामात्मापि येषां परस्तेषां भो गुणदोषशून्यमनसां किं तत्पुनर्नश्यति । भेतव्यं भवतैव यस्य भुवनप्रयोति रत्नत्रयं भ्राम्यन्तीन्द्रियतस्कराश्च परितस्त्वं तन्मुहुर्जागृहि ॥ २२७॥ ત્રણે લેક પ્રાચે જેને વશ વર્તે છે એવા વિષયરૂપ મહારાજાના જે અવિવેકી જીવે દાસ થઈ રહ્યા છે, વસ્તુતત્વના ગુણુદેષના ભાનથી જેમનું અંતઃકરણ શૂન્ય છે, પરાધીન છે, તેવા જીનું આ જગતમાં શું નાશ થવાનું હતું, લુંટાયેલાને વળી લુંટાવાને શે ભય ? પરંતુ છે મુનિ! ત્રણે ભુવનને સ્વયં પ્રકાશિત કરવાવાળું સભ્ય રત્નત્રયરૂપ અજોડ અને અતૂટ ધન તારી પાસે છે, એટલે તારે તો નિરંતર સાવચેત રહેવું એ જ ઉચિત છે. કારણ ઇંદ્રિય વિષયરૂપ તસ્કરે તેને સર્વસ્વપણે લુંટવા તારી આસપાસ ફેરા મારી રહ્યા છે, તેનાથી રખે તું ઠગાય નહિ. એ અનાદિ દૂષ્ટ તસ્કરો તારી નિર્મળ જ્ઞાનાદિ સંપત્તિ તને ભ્રમિત કરી લૂંટી લે નહિ એવી સતત જાગ્રતિ નું પ્રતિપળે રાખ. હે મુનિ! જે જી ઇંદ્રિય વિષયેના દાસ થઈ રહ્યા છે, તેમનું તે શું બગડવાનું છે!તેઓ તે સાવધ રહો વા અસાવધ રહે બંને સરખું છે. કારણ સંભાળવા એગ્ય એવી કઈ વસ્તુ જ તેમની પાસે નથી. એવા મેહમૂઢ છાએ તે પિતાને આત્મા જ સર્વસ્વપણે પરાધીન કરી દીધે છે, અને તેથી ગુરુષને વિચાર સુદ્ધાં તેમને વર્તતે નથી, વિષયરસ વશે પિતાની અમૂલ્ય જ્ઞાનાદિ શાશ્વત સંપદા લુંટાવી બેઠા છે. હવે તેમની પાસે સાચવી સંભાળી રાખવા જેવું છે શું? કે જેના રક્ષણની તેઓ ચિંતા કરે! ડર તે તેમને થાય છે કે જેમની પાસે કંઈક મૂલ્યવાન વસ્તુ રહી છે. જગતમાં પણ જોઈએ છીએ કે થેડી ઘણી જડ સંપત્તિ પણ લેકે સંભાળપૂર્વક સાચવી રાખે છે. અને પ્રતિદિન તેના રક્ષણની ચિંતા કરે છે. તારી પાસે તે કઈ અપૂર્વ અને અણમૂલી જ્ઞાનાદિ સંપત્તિ છે. સમ્યકજ્ઞાન દર્શન અને ચારિત્ર એ ત્રણ મહા રત્ન છે. આવાં અપૂર્વ અને અમૂલ્ય રત્નો જેની પાસે છે. તેણે તે નિરંતર પૂર્ણ સાવધાનતાપૂર્વક જાગ્રત રહેવું એગ્ય છે. કારણુ જ્યાં સંપત્તિ છે ત્યાં લુંટારાઓ પણ વસે છે. એ વિષય કષાયાદિ અનાદિ તસ્કરો તારી તે અમૂલ્ય નિર્મળ સંપત્તિને છીનવી લેવા તારી આસપાસ તાકી તાકીને ભમી રહ્યા છે, તારી ડીઘણું બેશુદ્ધતાનો લાભ લઈ તુરત તારાં એ
SR No.022377
Book TitleAtmanushasan
Original Sutra AuthorN/A
AuthorSomchand Amthalal Shah
PublisherShrimad Rajchandra Nijabhyas Mandap
Publication Year1953
Total Pages240
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy