SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૫૭) પરિણામે કરેલી નિવૃત્તિ પણ બંધનું કારણ થાય છે. જ્યારે સમ્યક્ જ્ઞાન પરિણામે કરેલી પ્રવૃત્તિ તથા નિવૃત્તિ બંને મોક્ષનું કારણ થાય છે. એ એક તત્ત્વજ્ઞાન પૂર્વક આત્મદશાનું અપૂર્વ માહામ્ય છે. ઉપરોક્ત વાતને ગ્રંથકાર ફરી સમર્થન કરે છે - द्वेषानुरामबुद्धिर्गुणदोषकृता करोति खलु पापम् । तद्विपरीता पुण्यं तदुभयरहिता तयोर्मोक्षम् ॥ १८१ ॥ જગતવાસી જીવોની માનસિક ભાવના રાગષ પૂર્વક તથા રાગદ્વેષ રહિત તત્ત્વજ્ઞાન પૂર્વક વર્યા કરે છે. રાગદ્વેષ પૂર્વક પણ કેઈ કેઈની સ્વાર્થ—અન્યાય ભરિત અને પક્ષપાત પૂર્ણ હોય છે. ત્યારે કેઈકની પક્ષપાત રહિત મંદકષાયપણે ન્યાયાનુકુલ પ્રવર્તે છે. પ્રથમની અશુભ છે તથા બીજી શુભ છે એ બંનેથી વિલક્ષણ સર્વ રાગદ્વેષથી રહિત તત્ત્વવિજ્ઞાનપૂર્ણ ત્રીજી શુદ્ધ તથા મોક્ષના અનન્ય કારણ રૂપ છે. ગુણ, સન્માર્ગ, સજ્જન અને ન્યાયાનુગામી છ પ્રત્યે દ્વેષ; તથા દેષ, દેષાનુગામી અને અન્યાયી છ પ્રત્યે રાગ નિયમથી પાપબંધનું કારણ થાય છે. એથી ઉલટું ગુણ વા ગુણીજને પ્રત્યે અત્યંત પ્રીતિ, અને દેષ વા દેષી છ પ્રત્યે દ્વેષ એ શુભ પ્રવૃત્તિરૂપ છે અને તેથી પુણ્યબંધ થાય છે. એ બંનેમાં મધ્યસ્થ વીતરાગવિજ્ઞાનપૂર્ણ રાગદ્વેષ રહિત બુદ્ધિ મેક્ષનું કારણ છે. એવી પરમ કલ્યાણાસ્પદ બુદ્ધિ જે જીવને વર્તે છે તે જીવ અનાદિ સંસાર પરિણામથી સર્વથા મુક્ત થઈ સદા સર્વદા પવિત્ર તથા સંપૂર્ણ સુખી થાય છે. વિશેષાર્થ...જે જીવને મેહના તીવ્ર ઉદયથી ગુણ પ્રત્યે દ્વેષ, અને દેષ વિષે અનુરાગ વતે, અથવા એવા દૂષિત અભિપ્રાયથી ગુણું પુરુષ પ્રત્યે વા ગુણના કારણું પ્રત્યે દ્વેષ થાય તથા દેષ યુક્ત જીવ પ્રત્યે વા દેષના કારણે પ્રત્યે અનુરાગ થાય તે જ અશુભપગ છે જે વડે જીવ નિરંતર આત્મગુણોને નિબિડ આવરણ કર્યા કરે છે. મેહના મંદ ઉદયથી જે જીવને ગુણ વિષે અનુરાગ તથા દેષ વિષે દ્વેષ વતે અથવા તેવા રૂડા અભિપ્રાયથી જેમાં ગુણ હોય વા જે ગુણનું કારણ હોય તેવા પુરુષ પ્રત્યે અનુરાગ વતે તથા જેમાં દોષ હોય વા જે દેષનું કારણ હોય તેવા પુરુષ પ્રત્યે દ્વેષ વતે તે જીવને શુભપગ વર્તે છે જેનું ફળ પુણ્યપ્રકૃતિનો બંધ છે, ઉપરોક્ત બંને પ્રકારના ગુણ દેષનાં કારણે પ્રત્યે વા ગુણ દેષમય પરિણુત થયેલા ચિત્ર વિચિત્ર પ્રકૃતિવશ જીવાત્માઓ પ્રત્યે સમ્યક સમજણ પૂર્વક ઉપેક્ષિત-મધ્યસ્થ દષ્ટિ રહી આત્મા નિજ શુદ્ધ સ્વગુણુને
SR No.022377
Book TitleAtmanushasan
Original Sutra AuthorN/A
AuthorSomchand Amthalal Shah
PublisherShrimad Rajchandra Nijabhyas Mandap
Publication Year1953
Total Pages240
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy