SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ૫. ભવભ્રમણ અને ધર્મ પરીક્ષા તે વર્ષ બગડે અને બાયડી લેવામાં ગફલત થાય તે આખી જિંદગી બગડે પણ ધર્મમાં ગફલત થાય છે? જન્મજન્મ બગડે. માટે ધર્મની થાપ ખાધી પાલવે તેમ નથી. માટે બારીક બુદ્ધિથી ધર્મ જાણવો જોઈએ. કોને જાણવું જોઈએ? જેને ધર્મની ઈચ્છા હેય તેને જાણવું જોઈએ. આ વસ્તુ અત્યારના હિસાબે માને છે? ના. પણ જે કે કાળ ગણે તે કાળમાં ધર્મને બારીક બુદ્ધિથી પારખવાને છે. ઈન્દ્રિયના વિષયે અને કષાના યોગો કયા જન્મારામાં ન હતા? દરેક જન્મમાં હતા. પણ તે બારીક બુદ્ધિથી પરીક્ષા કરે તે ધર્મને સાર ગણે. ચાહે તે સત્યુગ હોય, તેત્રાયુગ, દ્વાપરયુગ કે કળિયુગ હિોય, છતાં ધર્મને બારીક બુદ્ધિથી તપાસ પડશે. નહિ તપાસાય તે આના જેવું થશે. “અમે આડુંઅવળું કંઈ ન જાણીએ, પણ બુદ્ધિ તે ધર્મની છે ને? તે અડીં ન ચાલે. ધર્મ હશે ને માનશે અને કરશે તે કામ લાગશે. પણ તે નહિ હોય તે નકામું, જે ધર્મને બારીક બુદ્ધિથી જોવામાં નહિ આવે તે બુદ્ધિ ધર્મની રહેશે અને ઘાત થશે ધમને. ડેશી ને વાછરડું કઈ ગામમાં વ્યાસજી હતા. તે કથા કહેતા હતા. તેમાં તેમણે જણાવ્યું કે “જે અનાજ આપે છે તે સુખ પામે છે, પાછું આપે છે તે આવતા ભવમાં સુખ પામે છે.” વ્યાસ જ આવતા ભવની વાત કરે છે, પણ અનાજ માટે મારી પાસે સાધન નથી પણ પાણી છે. ત્યારે પાણ એવી ચીજ છે કે જે ગમે ત્યારે આપી શકાય. માટે તે પાવાનું હું રાખ્યું. આ પ્રમાણે એક ડેશીએ નક્કી કર્યું. ડેશી કઈ દહાડો કૂવા ઉપર પાણી ભરવા ગઈ. તે વખતે ભધી સ્ત્રીએ પાણું ભરીને ચાલી ગયેલી. ત્યાં કેઈ ન હતું. આવે વખતે ડોશી પાણી ભરવા આવી હતી. તેવામાં એક વાછરડું તરસ્યુ થયેલું. તે કૂવા આગળ આવ્યું અને તરફડવા લાગ્યું ત્યારે ડોશીએ વિચાર્યું કે આ તરસ્યું થયેલું છે. જે તેને થોડું થોડું પાઈશ તે તરસ નહિ મટે. એકદમ પાઈશ તો આફરો થશે, માટે કૂવામાં ઉતારી દઉં. તેને જ્યારે જેટલું પીવું હશે ત્યારે તેટલું તે પશે.
SR No.022352
Book TitleShodashak Prakaran Darshan
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri, Nityodaysagar
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy