SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ૫. ભવભ્રમણ અને વર્મ પરીક્ષા પહેલાં ઇડું કે કૂકડી ? કેટલાક જીવેને મૂંઝવવા કહીએ કે પહેલે જન્મ કે પહેલાં કર્મ? ત્યારે સામે કહી દે કે પહેલાં ઈડું કે પહેલી કૂકડી? તે તેમાં પહેલાં ઈડું હતું અને પછી કૂકડી હતી અથવા પહેલાં કૂકડી હતી અને પછી ઇંડું હતું તેમ અહીં પણ તમે ન કહી શકે. જૈનનું લક્ષણ અનાદિથી જ જીવ જન્મ-કર્મ કરતે આવ્ય, એ મેળવતે ગયે અને મૂકતે ગયે. દરેક વખતે સરવાળે શુન્ય. જિંદગીની જહેમત ઉઠાવીને કંચન, કામિની, કુટુંબ અને કાયા ચાર મેળવ્યાં પણ નીકળતી વખતે સાથે કંઈ નહિ, માટે સરવાળે શૂન્ય આવ્યું. આ તે જગતને સ્વભાવ છે તે બન્યા કરે છે. બીજું શું કહીએ? તે પ્રમાણે હોય તે બચાવ કરી શકે. જગતને સ્વભાવ હેય તે મહાપુરુષે જાગ્યા શી રીતે ? તરવાનો સ્વભાવ કેવા મહાપુરુષને છે? આસ્તિક હેય તે તેને “મહાપુરુષે તર્યા એમ માનવું પડશે. જે તરવાનાં કારણે મેળવે તે તરે, રખડવાનાં કારણે મેળવે તે તે રખડે. માટે જેનેતરે કરતાં જનોમાં કઈ વિશિષ્ટતા હોય તો એ કે જૈને જીવને જવાબ‘દાર ને જોખમદાર માને છે. ભવિષ્યની જિંદગીને કર્મો માટે જવાબદાર અને જોખમદાર કોણ? તે જીવ છે જીવને પિતાનાં કૃત્ય માટે જવાબદાર અને જોખમદાર માનનાર જૈન છે. બીજાને ઈશ્વરને માથે જવાબદારી અને જોખમદારી નાંખવાની. તમે કોઈને માથે તમારી જવાબદારી અને જોખમદારી ખસેડી શકે તેમ નથી પણ તમે પોતે જ જવાબદાર અને જોખમદાર છે. જેના અને જૈનેતરોમાં આ ફરક છે. દેવ, ગુરુ ને ધર્મ આ ત્રણને વ્યક્તિ, વસ્તુ તરીકે બધાં માને છે. પણ ફરક માં? જેને જીવને જવાબદાર ને જોખમદાર માને, જ્યારે બીજાઓ તે નથી માનતા. ઊલટું જે દુનિયાદારીમાં કહીએ તે જીવ તે “ઇશ્વરના ઢેર”. હેરને કયાં રહેવું તે . નક્કી નહિ. જેનને ત્યાં તે તેનું નસીબ હોય ત્યાં. વ્યવહારથી જાનવર તે બીજાના દેરાયાથી જાય અને રહે.
SR No.022352
Book TitleShodashak Prakaran Darshan
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri, Nityodaysagar
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy