SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ શેઠશક પ્રકરણ દર્શન આસ્તિક કૂચા સૂકે ત્યારે નાસ્તિક સાંઠા મૂકે જેઓ નાસ્તિક હોય તે તે ભવમાં જીવ, પુણ્ય, પાપ કે નરક વગેરે ન માનતે હોય; તે પણ તેને આ વાત માનવી પડે છે કે આસ્તિક નાસ્તિકની વચમાં એક જીવ, પુણ્ય, પાપ ને પરભવ વગેરે માને ત્યારે એક તે નથી એમ માને તેથી તેમાં મતભેદ હોય પણ અહીંથી ઉઠાંતરીમાં મતભેદ. નહિ મેળવ્યું તે મૂકવા માટે તેમાં મતભેદ નહિ. બન્ને વચ્ચે ફરક કેટલે? આસ્તિક કૂચા મૂકે ત્યારે નાસ્તિક સાંઠા, પણ તે કેમ? નાના છોકરા પણ શેરડી ચૂસ્યા પછી કૂચે ફેંક હોય તે વખતે વિચાર ન કરે, પણ શેરડીને કકડો તેની પાસેથી લઈ લે તે તે રોવા બેસે. તેમ આસ્તિક વિચારે કે જિંદગીમાં ચાર વસ્તુ મેળવી તે આત્મકલ્યાણને માટે તેમાંથી જેટલે રસ લે હવે તે લઈ લીધે હવે કૂચા રહ્યા તે ભલે ચાલ્યા જાય. પણ નાસ્તિકે ભલે તે મેળવ્યું પણ તેને રસ લેવાને નથી માટે સાઠે મૂક્ય ગણાય. આસ્તિકને મળેલાનું સાર્થક કરવાનો વખત છે અને ઈચ્છા છે. નાસ્તિક જિંદગી સુધી મરીને મેળવે પણ મૂકે ત્યારે સામટું મૂકી દે. જિંદગીની જહેમતમાં મેળવ્યું અને પળના પલકારામાં પલાયન થાય. કેને? નાસ્તિકને. ત્યારે આસ્તિકને રસ લઈ લેવા. હવે મૂકાય તે વાંધો નહિ. આસ્તિક નાસ્તિકમાં આ ફરક છે. તે માટે પહેલે દિવસે વાત જણાવી હતી ને કે નાસ્તિક જન્મને હરામખોર છે. કેમ ? હરામખોર કાણ? જેને મિલકત પોતે મહેનત કરીને મેળવેલી ન હોય તે તેને માલિક બનવા અને કબજો કરવા જાય તે તેને દુનિયામાં શું કહેવાય? તેમ કટિધ્વજને ત્યાં છોકરે જ . હવે તે છોકરે કેડ કમાવવા કયાં ગયે હો? કબજે કરવાની ને રક્ષણ કરવાની મહેનત તેને કયારે કરી હતી ? જ્યારે આ નથી કર્યું તે તેને હક્કદાર શાથી? માટે કહે કે તે હરામખોર આસ્તિકને હરામખેર નહિ કહેવાય. કેમ? તે તે કહેશે કે મેં પુણ્ય કર્યું હતું તેથી મેળવ્યું છે આસ્તિક પિતાની મહેનતને બદલે
SR No.022352
Book TitleShodashak Prakaran Darshan
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri, Nityodaysagar
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy