SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ૪. વચનની આરાધના જૈનેને મોક્ષ તે ગુણને દરિયે ને બીજાને મેક્ષ તે શૂન્ય જ્ઞાનાયિકામાતમા. જ્ઞાનનું અધિકરણ આત્મા એટલે જ્ઞાનને દાબડે. તે આવે તે રહે અને ન રહે તે ખાલી. આત્મામાં બહારથી જ્ઞાન આવે છે. જેને શરીર ને ઈન્દ્રિયે ન હોય, તેથી જ્ઞાન ગયું. શરીર અને ઇન્દ્રિએ કરેલું જ્ઞાન આત્મામાં આવે છે, માટે જૈનેતરો શરીર અને ઈન્દ્રિયોથી પ્રગટ થયેલું જ્ઞાન આત્મામાં માનનારા છે. આપણે જ્ઞાનમય આત્મા માનો તો જૈનેતરેએ જ્ઞાનનું સ્થાન આત્મા મા. જૈનેતરને જ્ઞાન તે ભાડૂતી લાગે. જૈનને જ્ઞાન તે ઘરનું ગણાય. તેથી જ્યાં મોક્ષને વિચાર કરીએ, ત્યાં જેને મેક્ષમાં ગયેલા જીવને કેવળ જ્ઞાન, કેવળ દર્શન, વીતરાગ પણું અને અનંતશક્તિવાળો માને છે. તે બીજા મતવાળાથી ન મનાય. ઈન્દ્રિ અને શરીર હોય ત્યાં સુધી જ્ઞાન હોય છે, તે ગયા પછી જ્ઞાન નથી. મોક્ષ પામે ત્યારે આત્મામાં અજ્ઞાન એટલે મિક્ષમાં જ્ઞાન, દર્શન, સમ્યકત્વ, વીતરાગતા અને અનંતવીર્ય નહિ, ત્યારે શૂન્યમય આત્મા. આ શૂન્યમય આત્મા મનાય કેને? જૈનેતરને. મેક્ષમાં સર્વજ્ઞતા, સર્વદર્શીપણું, વીતરાગતા અને અનંતવી તે એકસરખુંપરાવર્ત વગરનું, ન્યૂન નહિ, તેમજ અધિક પણ ન થાય તેવું, નાશ નહિ પામનારૂં એવું આત્માનું સર્વકાલનું સર્વ આત્માનું ભાન કરાવનારૂં માન્યું હોય તે જૈનોએ જ. જેનોને મોક્ષ તે ગુણને દરિયે, ત્યારે બીજાઓને મોક્ષ તે શૂન્ય. સોનું સો ટચનું, પણ તેની ઉત્તમતા શામાં? તે કષમાં ઉત્તમતા છે. આત્માની ઉત્તમતા શામાં?મેક્ષ મેળવવામાં છે. જેને આત્મા“શૂન્ય” માને છે તેને મેક્ષ શા માટે? જેટલું જ્ઞાન છે તેટલું કાઢવા માટે ને? આત્માનું સ્વરૂપ તે જ જ્ઞાન છે. જેઓ જીવને જ્ઞાન, દર્શન, સમ્યક્ત્વ, વીતરાગતા ને અનંતવીર્ય સ્વરૂપ નથી માનતા, તેવાઓને સાવરણીય આદિ કર્મો માનવાં હોય ક્યાંથી? હીરાની વીંટી અને હીરે. સકિ પ્રશ્નોત્તરનું જુઓ ૫૦ ૨.
SR No.022352
Book TitleShodashak Prakaran Darshan
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri, Nityodaysagar
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy