SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ૨, આર્ય અનાર્ય અને કર્મબંધ હિસા વજન ન થાય કે આવી ગયો અને કર્મબંધ કયારે? જયણાથી વિરૂદ્ધ બેદરકારીથી પ્રવર્તેલા જીવો જે પ્રવૃત્તિ કરે અને પાપ બાંધે તેનું કટુ ફળ ભેગવવું પડે. “તું તે દે; તાડુક્યું જ આવું ધારીને જે જયણાએ પ્રવર્તે—પણ જતાં હોય ત્યારે નીચું જુએ તે વખતે કંઈ પણ નથી, છતાં જોવામાં પગ મૂકે તે વખતે વચમાં કોઈ જીવ આવી ગયે તે શું થાય? માટે ઈર્યાસમિતિ રાખી એટલે જોઈને ચાલજે. પગ ઊંચો કર્યો તે વખતે દેખ્યું. ઈસમિતિપૂર્વક પગ મૂકતાં જીવ આવી ગયો અને મારી ગયે તેથી તેને કર્મબંધ ન થાય. કેમ? તે જ્યાં ક્રિયા-પરિણામ હિંસા વજવાના છે માટે ત્યાં કર્મબંધ ન થાય. આવી પ્રવૃત્તિમાં તેને આકસ્મિક થયું. તે તેમાં તેને કર્મબંધ નથી. તેનું પર્યવસાન દેખીએ તે શાસ્ત્રકારે તેને નિર્જરા માને છે. હિંસાને છેડે નિજમાં શી રીતે ? जाजयमाणस्स भवे विराहणा सुतविहिसमग्गस्स । सा होइ निज्जरफला अज्झत्थविसेाहिजुत्तस्स ॥ (ओधनि०) १ વિરાધના વર્જવાની બુદ્ધિ જેવી જોઈએ તેવી રીતે તે પ્રવર્તે. સૂત્રકારે કહ્યું કે આવી રીતે પડિલેહણ, વિનય, વૈયાવચ્ચ વગેરે કરવું. તેમાં પ્રવર્તેલ હોય ત્યારે અધ્યાત્મમાં હિંસા વર્જવાની, ચારિત્ર આરાધવાની બુદ્ધિ. ચારિત્ર આરાધવાની બુદ્ધિ તેથી નિર્જરા થાય છે. હિંસાથી નિર્જરા નહિ પણ હિંસા થાય છે તે જાણ વગરનાને. જયણ ધ્યાનમાં રાખીને આત્માની શુદ્ધિમાં પ્રતતે તેથી તેનું નિર્જરારૂપી ફળ આવે. એ તે આકસ્મિક છે. તેને તો દયા માટે પ્રવૃત્તિ કરી હતી. ઈસમિતિવાળાએ જોઈને પગ ઉપાડે, જેઈને પગ મૂકે તે વખતે ઓચિંતે જીવ આવી ગયે, છતાં તેમાં તેના પરિણામ શુદ્ધ હતા. ૧ આ ગાથા ઉપાધ્યાય યશવિજ્યજીએ દાન-દ્વાવિંશિકા (કલો૦ ૩૧ ની વપજ્ઞ ટીકામાં અવતરણ રૂપે આપી છે અને એ સંબંધમાં વિશિષ્ટ ઊહાપોહ કર્યો છે.
SR No.022352
Book TitleShodashak Prakaran Darshan
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri, Nityodaysagar
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy