SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૪ ષોડશક પ્રકરણ દર્શન એમ શાસકારે શાથી વકીલાત કરે છે? શ્રોતાઓને તે ફરિયાદની ભાવના સરખી નથી, કલ્પના પણ નથી! શાસ્ત્ર અગર શાસ્ત્રકારને તે ત્યારે હક્ક કે જ્યારે શ્રોતાઓ કહેતા આવે. આવા તર્કનું સમાધાન એ છે કે-જીવને પિતાની સ્થિતિનું, અવસ્થાનું, દશાનું ભાન જ નથી, પછી એ બેલે શાને? પાણીમાં રહેલે મનુષ્ય બે કે ન બેલે, એને “પિતાને કેઈ બચાવે એવી ભાવના પણ હોય કે ન હોય, છતાં કાંઠે રહેલા સજજનને, દયાળુને શે ધર્મ ? કહે કે તેઓને ધર્મ તે ડૂબતાને બચાવવાને જ છે. ડૂબનારે કહે કે ન કહે પણ તેઓએ (કાંઠે ઊભેલાઓએ) ડૂબતાને બચાવવાના પ્રયત્ન કરવા જ જોઈએ. અસીલનું દષ્ટાંત લાગુ કરી, ડૂબતાને ન બચાવ પેમ દુનિયા માને છે? ડૂબતે બૂમ મારે, મદદ માગે તે જ બચાવવાને પ્રયત્ન કર, એમ દુનિયાએ માન્યું છે ખરું? કહેવામાં આવે કે બિચારે ડૂબતે માણસ તે સાનભાન ગુમાવી બેઠેલે છે. પિતે જીવતે છે કે મર્યો છે એનું પણ તેને ભાન નથી, તે ભાન વગરને મનુષ્ય ન બોલે તે શું કાંઠે ઊભેલે દયાળુ પુરુષ મદદ ન કરે? વાત સાચી કે મદદ કરે જ. દુનિયાને એ વ્યવહાર છે કે ડૂબેલાને ભાન હોય કે ન હોય અને કઈ બચાવે એ વિચાર તેને આવ્યું કે ન આવ્યા હોય તે મદદ માંગે કે ન માંગે તે પણ એ કશાની દરકાર કર્યા વગર, તમામ પ્રયત્ન, ગમે તેવા પ્રયત્ન તેને બચાવી લેવું જોઈએ. કેઈ એમ કહે કે “મેં અમુકને ડૂબતે દેખે તે હતું પણ તેણે કાંઈ બૂમ પાડી નહિ, બચાવની મદદ માગી નહિ માટે મેં કાઢયે નહિ તે એમ કહેનારને તમે કે ગણે? તે જ રીતે તમામ સંસારરૂપી દરિયામાં ડૂબી રહ્યા છે અને તે બિચારાઓને પિતાની દશાનું લેશ પણ ભાન નથી. તેઓ પિતે પિતાને તારવાનું, ઉગારવાનું કહે કે ન કહે તે પણ તારવાને તારકેએ તે કટિબદ્ધ થવું જ જોઈએ. જેઓ એ રીતે બચાવવાને પ્રયત્ન ન કરે, ડૂબતાને બચવવા ઘટતું ન કરે તે તેને શાસ્ત્રકારે સમ્યગદષ્ટિ ગણવાની ના કહે છે. મત ગમે તે ગત માટે મેં
SR No.022352
Book TitleShodashak Prakaran Darshan
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri, Nityodaysagar
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy