________________
૩૪. દેવતત્વની મહત્તા
આ માસમાંથી જે આપણને એ
માટે જ દેવે તે અ
ને
તેમણે આનંદસ્વરૂપ એવા અનંત સિદ્ધોને જોયા છે. એ સ્થાન પ્રામવાને મા તેમણે આત્માનુભવથી તથા પ્રત્યક્ષ જે છે તેથી જ તેઓ જ આત્માને એ ગૌરવવંતું સ્થાન પામવાને માટેના આચારે કહી શકે છે.
આ આચારે પોતે આચરે, તે બીજાને બતાવે, ભવસાગરરૂપ મહાભયંકર સ્થાનમાંથી જે આપણને બચાવે એવા જે કંઈ પણ હોય તે તે શ્રીમાન તીર્થંકર દેવો જ છે, બીજા નહિ. માટે જ દે તે સ્વયંસંબુદ્ધ છે અને ગુરૂદેવે તેમની પાછળ છે. આથી જ સુદેવ, સુગુરુ અને સુધમ એ ત્રણમાં ગુરુ દેવનું અનુકરણ કરનારા છે. દેવ, ગુરુઓનું અનુકરણ કરનારા નથી. આ જ કારણથી સુદેવ, સુગુરુ અને સુધર્મ એ ત્રણમાં દેવતત્વ મુખ્ય છે અને તેને જ આધારે અન્ય તને ચાલવાનું છે.
સુદેવ, સુગુરુ અને સુધર્મમાં આ પ્રકારે દેવતત્વ મુખ્ય હોવાથી દેવની આજ્ઞા પ્રમાણે ગુરુઓએ ઉપદેશ અને વર્તન કરવાનું હોવાથી અને ધર્મના પણ દ્રષ્ટા, પ્રકાશક અને સ્વાનુભવ કરનારા દેવે જ હોવાથી દેવતત્વ સૌથી મોટું છે અને તેથી જ આચાર્યદેવ શ્રીમાન હરિભદ્રસૂરિજીએ અષ્ટક નામના ગ્રંથની રચના કરતાં તેમાં મહાદેવ (go to ૨) નામનું અષ્ટક શરુ કર્યું છે.