SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪. દેવતત્વની મહત્તા ૩૩૧ શીખવી નથી. વાછરડાને જન્મ થાય છે કે તે જ ક્ષણે તે લથડતું લથડતું આગળ ધસે છે અને ગાયના આંચળ શેધી કાઢી તે તેને વળગી પડે છે. તેમ ઇન્દ્રિયના વિષયે મેળવવાની ઈચ્છા થાય છે એટલે આત્મા પિતાની મેળે જ તેનાં સાધને શોધી લે છે. આ સઘળાનું જે કોઈ પણ કારણ હોય તે તે કર્મ જ છે. આ કર્મ, સંસાર બતાવવાં, તેની ભયંકરતા દર્શાવવી, પિતે તેનાથી બચી જવું અને બીજાને તેનાથી બચાવી લેવા એ જ દેવ અને ગુરુ એ બંનેનું કાર્ય છે, દેવ તથા ગુરુ પાસેથી શું મળે? દેવ અને ગુરુ બંનેને ધંધે જુએ છે તે એક જ છે. ધર્મ અને મોક્ષ એ બેની જ વાત કરવાને દેવ અને ગુરુ બને બંધાએલા છે. તમે ગુરૂદેવની આગળ જ્યારે જ્યારે હાજર થાઓ છે ત્યારે ત્યારે તેની આગળ તમે એક જ વાત સાંભળે છે કે “ધર્મમ: તમે શ્રીમાન ગુરૂદેવને વંદના કરે તે જવાબ મળશેઃ ધર્મલાભ. તમે ગુરૂદેવને પાણી વહેરા તે પણ જવાબ મળશે કેઃ ધર્મલાભ. તમે તેમને અન્ય વહેારા તે પણ જવાબ મળશે કે ધર્મલાભ, કંઈ પણ પ્રવૃત્તિ કરે તે ધર્મલાભ, અર્થાત્ ગુરૂદેવના જીવનને શ્વાસોશ્વાસ જે તમે જોશે તે એક જ છે કે ધર્મલાભઃ ધર્મલાભ અને ધર્મલાભ! મહારાજની પાસે ધર્મલાભ વિનાની તે બીજી કઈ વાત જ નથી. ઘણું આજકાલના બગડી ગયેલા સુધારકે લખે છે અને બેલે છે કે એમને તે ધર્મની ઘેલછા લાગેલી છે. જેને આવા બગાડ ઘેલા માને છે તેને જ સુધારકે જીવનસર્વસ્વ માની રહ્યા છે ! ધર્મરૂપી ઘેડાગાડીની જરૂર કયાં સુધી ? ગુરૂદેવેની સ્થિતિ સંપૂર્ણ તીર્થંકરપણાને પામેલી નથી જ. જે તેમની સ્થિતિ સંપૂર્ણ રીતે તીર્થંકરપણાને જ પામેલી હેત તે તે તેઓ પણ તીર્થકર અથવા તે કેવળી જ કહેવાત. ગુરૂની સ્થિતિ
SR No.022352
Book TitleShodashak Prakaran Darshan
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri, Nityodaysagar
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy