SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૪ પડશક પ્રકરણ દર્શન પદપંડિત, શ્વેકપંડિત, ગાથાપંડિત કે પિથાપંડિતથી જ્ઞાની કહેવાઈએ છીએ તે પછી જે જન્મથી ત્રણ જ્ઞાન લઈને આવનારા છે, તેમને સંસાર છોડવાની જરૂર શી? કહે તેમણે સંસાર કેમ છે ? સંસાર છોડે તેટલા માત્રથી સાધુ હોય એ નિયમ નહિ, પણ જે સાધુ હોય તે સંસારના ત્યાગી જ હેય એ નિયમ છે. જેમ પ્રભુ વીર ૨૮ વર્ષ પછી રાજકુંવર છતાં સ્નાનાદિ ન કરવા, પ્રાસુક ખાનપાનાદિ લેવાં, બ્રહ્મચર્ય પાળવું, આ ગૃહવાસમાં સર્વ ત્યાગ કરે છે છતાં તેમને ગૃહસ્થ ગણીએ છીએ. અને તેથી તેમને ગૃહસ્થપર્યાય ત્રીશ વર્ષને ગણાય છે. જો કે પિથાપંડિતે તે અઠ્ઠાવીસ જ માનતા હશે. બે વર્ષ સુધી ત્યાગધર્મ સારી રીતે પાળે છે છતાં શાસ્ત્રકારે કે કુદરતે અઠ્ઠાવીસ વર્ષ સુધીનું ગૃહસ્થપણું ન માન્યું, કારણ તીર્થકરેને મન પર્યવ જ્ઞાન સાધુપણાની સાથે જ હેય. મન:પર્યવ કુદરતથી ૨૮ મા વર્ષે કે ત્રીશમા વર્ષે થયું ? કહે કે ત્રશમા વર્ષે જ મન:પર્યવ થયું. બે વર્ષ ત્યાગના હતા છતાં કુદરતે તે ત્યાગ ન જ સ્વીકાર્યો આ ઉપરથી કહેવું જોઈએ કે સાધુપણાની સાથે બાહ્ય ત્યાગ હે જ જોઈએ, તેવી જ રીતે જ્યણું હોય ત્યાં ધર્મ હોય જ એ નિયમ નહિ, પણ ધર્મ હોય તે જયણા હેય જ. કાર્યને અંગે–દેવગુરુ અને ધર્મને છોડીને બીજા કેઈ કાર્યને અંગે જેમાં બહુરૂપી આદિ કાર્ય હોય. સ્વપ્રપંચ પૂર્ણ કરવા માટે પણ વેશને ઉદાયીનુપ મારક જેવા વિડંબકે ધારણ કરે છે. જેઓ જાવજજીવને માટે ત્યાગ કરનારા છે, એટલે હિંસા, જૂઠ, ચેરી આદિના ત્યાગ સાથે તેનું પાલન તે જિંદગી સુધી બને કરે ત્યાં શું સમજવું ? કહો કે તેને તે સાધુ માનવે ને? બાહ્ય સાંગિક સ્થિતિની સાથે પણ સાધુપણું બંધાયેલું છે ને? મહાનુભાવ, એક વખત માની પણ લે કે-આવતા ભવને માટે બાહ્ય સ્થિતિ સુધારેલી હોય, પછી તે ભવ્ય કે અભવ્ય હોય, સમ્યગ્દષ્ટિ હોય, કે મિથ્યાષ્ટિ હેય, અને તે જિંદગી સુધી સાધુપણું પાળનારા હોય,
SR No.022352
Book TitleShodashak Prakaran Darshan
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri, Nityodaysagar
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy