SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૦ ષોડશક પ્રકરણ દર્શન વને ઓળખી અને એની માગે તો ગુરુઓને કરવાં તેનું નામ જ ધર્મ. પાપનાં કારણેને દૂર ન કરે તેનું નામ અધર્મ. અધર્મને કંઈ શીંગ પૂછ નથી. જાનવરને તે શીંગ-પૂંછ પણ હોય છે. પાપની પ્રવૃત્તિ કરવી તેનું નામ જ અધર્મ. બીજું ચિહ્ન નથી. રૂપ, રસ, ગળ્યાદિ પણ તેમાં નથી. આવી રીતે અનાદિ કાળથી આ જીવની થતી રખડપટ્ટને ટાળનાર જે કઈ ચીજ હોય તે પાપની પ્રવૃત્તિ બંધ થવી જોઈએ અને ધર્મને આદર જોઈએ. પણ ધર્મ મળે કયાં ? કાછીયાની વખારમાં જાય અને ખેતી માગે તે કયાંથી મળે? તેમ જેઓ ગુરુતત્વને ઓળખી શકે નહિ તે ધર્મને પામી ન શકે. ગુરુઓને ધર્મના આપનાર કેમ કહો છો? ધર્મના ઉત્પાદક, દેનાર, ચકવર્તી તે દેવ છે. શુદ્ધ દેવ મળે તે જ શુદ્ધ ગુરુ અને ધર્મ મળશે. માટે કહે કે ત્રણેની જડ જ દેવતત્વ છે. વાત ખરી, પણ ઉત્પત્તિની અપેક્ષાએ ત્રણે તત્ત્વની જડ દેવતત્વ છે, પરંતુ બેધની અપેક્ષાએ કે જ્ઞાનની અપેક્ષાએ વિચારીએ તે ત્રણે તમાં મુખ્ય તત્વ ગુરુતત્ત્વ છે, કારણ કેના પરિચયમાં કેની સેવામાં રહેવાના? કહે કે ગુરુના. આખું શાસન ગુરુમહારાજને આધીન છે અને તેમના જ પરિચયથી ધર્મને સમજવાના. ઉત્પત્તિની અપેક્ષાએ દેવતત્વ છે, પણ પ્રતિબંધની અપેક્ષાએ કે શાસનની અપેક્ષાએ જે શરૂઆત થાય તે. કયાંથી થાય? ગુરુતત્વથી. હવે વિચારીએ કે જન્મથી જૈનધર્મમાં છીએ અને જૈન સાધુના પરિચયમાં આવેલા છીએ તેથી વીતરાગને જ દેવ માનીએ છીએ અને પંચમહત્રતધારીને જ સાધુ માનીએ છીએ, પણ કદાચ ઢીંગલાપંથીમાં કે બીજા કેઈ દર્શનમાં જન્મ પામ્યા હતા તે તે જ માનત. પણ આપણને જન ગુરુ મળ્યા એટલે જ શુદ્ધ દેવાદને માનવા લાગ્યા. અહીં સને કારણે ગુરુ છે. તેથી મુનિસુન્દરસૂરિજી જણાવે છે કે સર્વે તેમાં ગુરુતત્વ જ મુખ્ય છે,
SR No.022352
Book TitleShodashak Prakaran Darshan
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri, Nityodaysagar
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy