SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૦ પડશક પ્રકરણ દર્શન નવાઈ નથી. અને તેથી શાસ્ત્રકારે ત્રણ પ્રકાર કર્યો, એટલે બાલ, મધ્યમ અને બુધ પણ હોય. એક જ પ્રકારના હોય એ નિયમ નથી. નવમાથી શ્રેણીની શરૂઆત કરે, તેને પણ વિચાર એ જ હોય કે મારાથી બીજા જીવને વિરાધના ન થાય. જેમ અનેક મુનિને દેવે ઉછાળ્યા છે. કેવી રીતે? જાણે ફેંકીને, અને તેથી લેહીની ધારા. અપ્લાય ઉપર પડે છે અને તેથી જીવની વિરાધના થતી હોવાથી તેમને આત્મા કંપે છે. આવી પરજીવ ઉપર અનુકંપા છે. તેથી ધર્મને સાધવાવાળા સર્વ જીવે સરખા ન પડાય. જમાલીના મતે નવે તવેમાં મુશ્કેલી. બધા બુધ ન હય, જુદા જુદા હોય તેથી તે ઓળખવા શી રીતે ? તે બાળક હોય તે સાંગિકે રિવાજોને જોઈને ધર્મને માને. શારીરિક સંગોને જોઈ વિચારીને ધર્મને માને તે મધ્યમ અને શાસ્ત્રીય વિચારોને જોઈ તપાસીને આગમ તત્ત્વને માને તે બુધ,એટલે પરીક્ષામાં પ્રધાન હેય તે બુધ, આત્મીય પરીક્ષામાં ઉતરે તે બુધ. આવી રીતના ત્રણ પ્રકારે આગળ પણ જણાવી ગયા છીએ. આમ હોવાનું કારણ શું? બાળક આવું જુએ અને આ જ જુએ, તેમ મધ્યમ અને બુધ માટે પણ નિયમ બાંધવાનું કારણ શું? શું તમે રેકવા માંગે છે? તે વિચાર કરવા જતે હેય તે અમે બાળકને રક્તા નથી તેમ નિષેધ પણ કરતા નથી, પરંતુ એ કહે જ નહીં, એની એ તાકાત જ નથી, કારણ કે બાળક કહેવાય ત્યાં સુધી કે જેના પ્રયત્નમાં સુંદરતાને નિયમ નહીં'. જેમ હોળીના દહાડે ધૂળ ઉછાળે અને દિવાળીના દિને લુગડાં લત્તાં શણગારીને પહેરે. તેને પ્રયત્ન સર્વથા શુભ જ હોય એ ન બને. તેમ અહીં જે બાળક ધર્મ પરીક્ષામાં ઉતરતેહોય છતાં તેના પ્રયત્નનું સુંદરપણું ન હોય, એટલે જેના વિચારની સુંદરતા ન હોય તે પરિણામવાળે તે હોય જ કયાંથી! તેને તે માત્ર બહારના સંગે જઈને કહેવું પડે. જેમ કે તપવાળે,
SR No.022352
Book TitleShodashak Prakaran Darshan
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri, Nityodaysagar
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy