SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭. દેવ, ગુરૂ ને ધર્મની પરીક્ષા ૨૫૯ ઘghહ ઝિને મુદ્રા તથાભ્યા-” આત્મકલ્યાણના આદર્શરૂપ બનવું હોય તે બહારના શરીરના અવયવો તે ઠીક રાખવા પડે. જેમને ક્રોધ નથી. એમ કહેનારનાં હોઠ ફફડતા હોય, આંખ લાલ હોય, તે પછી તેમનામાં ક્રોધ નથી એ કેમ મનાય? વળી, અહીં શરીરના જે અવય હસ્તાદિ તે ઊંચા કેમ? ફોધ, રાગ, લેભ, હાસ્યાદિ નથી તે આ શરીરને દેખીને બીજે કેમ માની શકશે કે આમાં કોધાદિ નથી ? વળી શરીર પર્યકાસને જોઈએ, પણ તે છે નહીં, એટલે હાથ પગાદિ ઊંચા છે. પ્રથમ તે શરીરની જે વીતરાગપણાની દશા તે પણ નથી. વળી દષ્ટિ-તે જે માણસને કંઈ પણ લેવાદેવા ન હોય, તેની જગ્યાએ આ નાસિકા ઉપર દ્રષ્ટિ જ નથી, આવી જે દેવપણની મુદ્રા તે પણ શીખ્યા નથી. અરે ! આત્માને આદર્શ રૂપ રાખી શક્તા નથી એટલે નાટકિયે તે ઢબછબમાં દાખલ થઈ તે વેશને તો ભજવે, પણ આ તે તેવા વેશને પણ ભજવી જાણતા નથી. પછી તેમને દેવ કેવી રીતે કહેવા? એટલે શરીર–નાસિકા-દષ્ટિ આદિ મુદ્રાને જે ન સાચવી શકે તેને દેવ મનાય કેમ? આમ વર્તનની પરીક્ષા થઈ મુખરૂપી કમલ જેમનું પ્રસન્ન હય, વળી જેને ખોળે સ્ત્રી વિનાને હોય, આ વર્તન દ્વારા વીતરાગ દેવની પરીક્ષા થઈ. એમ પ્રથમ લિંગ દ્વારા દેવની પરીક્ષા થઈ. મધ્યમબુદ્ધિ અને બુધની દેવ૫રીક્ષા હવે તેથી આગળ વધેલા જીવે કહે છે કે એમ નહીં, કારણ કે રાજકુટુંબમાં કોઈ એવા પણ અવતરે છે. વૈક્રિયબુદ્ધિ ફેરવે, હૈંગીઓ પણ હોય, તેથી કહે છે કે આગમતત્ત્વવાળે અશોકવૃક્ષાદિના લીધે દેવતત્વ ન માને. તે હવા જોઈએ એ વાત જુદી. તેમાં વ્યતિરેક ખરે, અન્વય નહીં એટલે જ્યાં જ્યાં અશકાદિ હોય ત્યાં દેવ, એમ ન માને, પણ જ્યાં જ્યાં અશોક ન હોય ત્યાં દેવ નહીં એમ તો માને. વળી મધ્યમ દષ્ટિવાળાની અપેક્ષાએ પ્રશમરસનિમ, દેવ વગેરે વર્તનને જુએ ખરા, પણ તે વિનાનાને ડેવ ન માને.
SR No.022352
Book TitleShodashak Prakaran Darshan
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri, Nityodaysagar
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy