SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫. ત્રણ તવની પરીક્ષા ર૪૫ અનાજ વાવેલું હોય તેને ફળ તરીકે કરી દેવાનું. અનાજને લણવું વગેરે કામ તો મનુષ્યનું છે. ત્યાં કુદરતનું કામ નથી, કદાચ અનાજ સુધી કુદરતે કર્યું પણ રોટલા તો કુદરત નહિ જ કરે. હવે તમે માને કે મનુષ્ય સુધીમાં કુદરતે લાવી દીધા, એટલે આગળ પણ લઈ જશે એમ નહિ બને. આ એક વચન ભગવાન મહાવીરનું વિચારશે તો ખ્યાલ આવશે. મનુષ્યપણું પછી ઉઘમની જરૂર જ ભગવાન મહાવીર મહારાજ ઉદ્યોગ, નિયતિ, કર્મ, કાળ અને સ્વભાવ એમ પાંચ વસ્તુને માનતા હતા છતાં “મથિ વરિપ?” વગેરે એક જ કેમ બેલ્યા? “ના” આદિ કેમ ન બેલ્યા? કહો કે પાંચ કારણોને માનનારા છતાં એકને જ પિકાર કેમ ? “ જે સંતે વિgિ” એમ પફિ ખસત્રમાં બેલીએ છીએ, તે સંસદા એ કેમ નથી બેલતા? કાલે, સ્વભાવે કરી કર્મ કરવાનું જીવે કરી લીધું છે, તેમાં અત્યારે જીવની સાધ્યતા નથી રહી. જેમાં ત્રસપણે તેમાં પણુ પંચેન્દ્રિયપણું, તેમાં મનુષ્યપણું, ઉચ્ચ કુળ, સામગ્રી, બળ વગેરે મળેલાં જ છે. તે સર્વ કુદરતના પ્રતાપે થવાનું થયું, પણ હવે જે આકી છે તે તો જીવે જ કરવાનું છે. જેમ ખેતરમાં વરસાદ તો વરસી ગયે પણ ખેડીને વાવવું કે દળાવી બોટલા બનાવી ખાવું, તે તો પુરુષને આધીન છે. તેમ અહીં સર્વ વસ્તુઓ કુદરતે આપેલી છે, પણ હવે તો બીજું જ કરવાનું રહ્યું, અને તેથી ભગવાન મહાવીર મહારાજને કાળ–સ્વભાવ-નિયતિ–ભાવિ એ ચાર કબૂલ છતાં વાત એક જ કહે છે કે “અર્તિા વચ્ચે રિસર પર ઊઠવાની ક્રિયા, ઈચ્છાની ક્રિયા-બળ-કર્મવીર્ય-પુરૂષકાર ક્રિયાનું ફળ વગેરે તમારામાં છે, માટે તમારે તે સફળ કરવાની જરૂર છે, એટલે આ ઉપરથી તમારા વીર્યને ફેરવે એ જ ઉપદેશ છે. આ તમારૂં કર્તવ્ય બાકી છે. તેથી “ગથિ રે' આદિ વચને બેલ્યાં.
SR No.022352
Book TitleShodashak Prakaran Darshan
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri, Nityodaysagar
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy