SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ષોડશક પ્રકરણ દર્શન સ્થાનમાં કેમ? જન દર્શનકાર તે મિથ્યાત્વની માફક અવિરતિપણાને કર્મબંધનું કારણ માને છે. જ્યારે સર્વ દર્શનકારે પાપને કારણ માને છે, પણ પાપથી ન વિરમે તેપણુ પાપ બંધાય” એવું માનનાર તેજન દશનકાર જ છે. પ્રતિજ્ઞા ન કરે તે બંધાય જ એવું માનનારો જૈનમત છે, અને તેવા સ્વરૂપે પાપ માનનારો ઇતર દર્શનકાર નથી. પાપની જેમ પુણ્યમાં તે વાંધો નથી ને ? તે દુનિયાએ જે પુણ્યબંધન માન્યું છે તે વસ્ત્રપાત્રાદિના દાનમાં માન્યું છે, પણ આશ્રવના રોકાણને લઈ ગની શુભતા, તેને લીધે પુણ્ય બંધાય એવી માન્યતા કેઈની નથી. એવી માન્યતા માત્ર જૈન દર્શનની છે. સંવર, નિજેરા - આપણાથી શુદ્ધ ચારિત્રના પાલનથી વૈમાનિકપણું યાવતુ પાંચ અનુત્તરવાસી બની શકાય છે. સવ સંવરવાળા યુગમાં ઊંચામાં ઉચ્ચપણું મનાયું છે. જે સંવરને ન માને તે પછી ઊંચામાં ઉચ્ચપણું રહે જે કયાંથી ? જ્ઞાની ત્રણ ગુપ્તિવાળો-એટલે મન, વચન અને કાયાના રક્ષણવાળ એ જ્ઞાની-ક્ષણમાં સાગરોપમનાં પાપ ખપાવે છે, એવી નિર્જરાની વાત કેણ માને કહે કે એવી નિર્જરાની માન્યતા અન્યની નથી. જૈનદર્શનને મેક્ષ " શંકા-ભલે તે ન હોય, પણ મેક્ષની માન્યતા તે છે ને? ગમે તેવા રસ્તે પણ મૂળ કચેયે તે આબે, એટલે મેક્ષ નક્કી છે. પણ સંવર નિર્જરા ગમે તે રીતનાં માને તેથી શું વધે? મુખ્ય ધ્યેય સાચું હોય તે બસને ? સમાધાન-આટલા માટે કહે છે કે-એક્ષનું ધ્યેય માન્યું પણ બીજાઓએ મેક્ષ કે માન્ય છે? જેમાં જ્ઞાન-દર્શન, વીર્ય કે સુખ અનંતા હોય તે મેક્ષ કેઈએ માન્ય નથી. આત્માનાં જન્મમરણ ન થાય તેવી રીતને મેક્ષ ઈતિએ માન્ય છે. પણ સર્વ કાળ અક્ષય અને અવ્યાબાધ હોવા સાથે અનંત અદ્ધિસિદ્ધિને ધણી
SR No.022352
Book TitleShodashak Prakaran Darshan
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri, Nityodaysagar
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy