SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫, ત્રણ તત્વની પરીક્ષા ૨૩૭ ઈતિને અજીવ પદાર્થો હવે અજીવ પદાર્થને તે સૌ માને છે. અરે ! નાસ્તિક પણ પ્રત્યક્ષ દેખાતા ભૂતેમાં પૃથ્વી, પાણી આદિ પદાર્થોને માને છે. તેમ ઘટપટાદિ પદાર્થોને પણ દરેક દર્શનકારો માને છે, પણ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને કાળ એ પાંચ અજીવના ભેદ માનવાની રીતિ કેઈનામાં નથી. હવે જે ઈતર દર્શનકારે ધર્માસ્તિકાયાદિને માને તે પછી વ્યવસ્થા લેક, અલેકની કરવી પડે. ' શંકા–જીવ અરૂપી હોવા છતાં સુખ, દુઃખરૂપ અનુભવો થવાથી તે માની લઈએ. અજીવતત્વમાં ઘટપલદિનું પ્રત્યક્ષ હેઈ માનીએ, પણ આ ધર્માસ્તિકાયને તો મનાય રીતે ? કારણ તે પ્રત્યક્ષ છે જ નહિ. એ તે ઘરની બાજી છે. કેઈની સાક્ષી મળી શકે તેમ નથી વૈષ્ણવ, શીવ, સાંખ્ય આદિ કઈ પણ દર્શનમાં ધર્માસ્તિકાયાદિ અજીવ તો મનાયેલાં જ નથી. અરે ! કેઈ નામથી પણ જાણતું નથી, છતાં તે મનાવવા હોય તે તમે કહો તે જ માનીએ. સમાધાન–વાત ખરી, પણ જરાક શાંતિથી વિચાર કરે કે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાયની સ્થિતિ જેવી કેઈક ચીજ છે, કારણ કે અનંતા પુદગલે એકઠાં થઈ ને એક ટેબલ બનેલ છે, તેમાં અનંતા પરમાણુઓ એકઠા થયેલાં છે. એમાં કેઈનથી ના પડાય તેમ નથી, અને તેમાં ધર્માસ્તિકાય આવી ગયે. જગતને છેડે છે અને તેવી મર્યાદાવાળી જગ્યા હોવાથી તેમાં આપણે રખડવું પડે છે, જે મર્યાદા ન હોય તે પરમાણુને કે જીવને ભેળા થવાને પ્રસંગ આવે જ નહિ, પણ આવું નિયમિત સર્કલ છે એટલે તેમાં જ ભટકવાનું થાય છે અને ભેગા થવાનું બને છે. આથી સ્કંધરૂપે ભેગા થવાય છે. બસે માઈલને દરિયે હોય અને તેમાં પૂર્વ-પશ્ચિમ બે બાજુએ બે દેડકાં મૂકયાં હોય તે ક્યારેક ભેગાં થાય, પણ આ અનંત લેકના જીવે ભેગા થાય કેવી રીતે ? જે લેકને છેડે જ ન
SR No.022352
Book TitleShodashak Prakaran Darshan
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri, Nityodaysagar
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy