SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ કરણ અને કારણ આધિ, વ્યાધિ ને ઉપાધિમાં જબરજસ્ત કેણુ? શાસ્ત્રકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રીમાન હરિભદ્રસૂરી શ્વરજી મહારાજ ભવ્ય જીના ઉપકારને માટે પડશક નામના પ્રકરણને રચતાં આગળ સૂચવી ગયા કે આ સંસારમાં સર્વ આધિ, વ્યાધિ, ઉપાધિથી ભરેલાં છે. તે આધિ, વ્યાધિ, ઉપાધિ કઈ? જન્મ, જરા, મરણ, રોગ, શેક, આધિ, વ્યાધિ અને બધી જગતવ્યાપી ઉપાધિઓ છે, તેમાંથી કઈ પણ સંસારી જીવ બાકી રહેતું નથી. તે “ઉપાધિ આધિ વ્યાધિ કરતાં પણ જબરજસ્ત અસર કરે છે. વ્યાધિ મનની વિહુવલતા કરે પણ ખરી અને સહનશીલતાવાળે હેય તે ન પણ કરે. જેને ધૈર્ય, ધૈર્યની ખામી હોય તેને ચંચળતા થાય, પણ જેને સ્થતાની પૂરેપૂરી સ્થિતિ આવી હોય તેને મરણત ઉપસર્ગો ચંચલ કરવા સમર્થ થતા નથી. જેની અસત્ કલ્પના કરીએ તે પણ આપણું કાળજું કામ ન કરી શકે. કેવી અજબ સ્થિરતા ! દષ્ટાંત લે-ગજસુકમાલ જંગલમાં કાઉસ્સગ્નમાં રહ્યા છે. ત્યાં માથે માટીની પાળી બાંધી. અંગારા ખેરના તેમાં ભરાય છેઃ ઘાસના ભડકામાં દાઝીએ તે કેમ થાય છે? બેબાકળો થાય. ઘાસના તાપમાં ચમકનારા, તણખામાં ચમકનારા આપણે જે તે વિચાર કરીએ તે અંગારામાં આપણું શું થાય? ઊના પાણીમાં આંગળી નાખીએ તો બૂમ નાખીએ તે દાઝયાને અંગે તે પૂછવું જ શું ! હવે પેલી દશાને વિચાર કરે. જે વખતે અંગારા ભરાયા તે વખતે આત્માનું શું થાય ? તે
SR No.022352
Book TitleShodashak Prakaran Darshan
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri, Nityodaysagar
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy