SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યા છે Rખ્યા છે પુદગલ, ગુણ અને ગુણ જીવની વિધવિધ સ્થિતિઓ શાસ્ત્રકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રીમાન હરિભદ્રસરીશ્વરજી મહારાજ ભવ્ય જીના ઉપકારને માટે પિડાક નામના પ્રકારની રચના કરતાં આગળ સૂચવી ગયા કે આ સંસારમાં આ જીવ અનાદિ કાળથી રખડપટ્ટી કરી રહેલ છે. તે કરતાં કરતાં અનંતા પુદ્ગલપરાવર્તે (એકેંદ્રિય) નિગોદમાં ગયાં. તે પણ સૂક્ષમ એકેદ્રિયમાં. જીવની અનાદિકાલીન સ્થિતિ સુધી સૂક્ષ્મ નિગોદમાં. તેમાંથી અકામ નિરાએ બહાર નીકળે. નિગદમાં તે શરીરની પણ ભાગીદારી જગતમાં જોઈ શકીએ છીએ કે એકેદ્રિય શરીરવાળા જીવે જે પૃથ્વીકાયાદિમાં છે તેમાં એલું શરીર હોય, તે શરીરને ધારણ કરનારી જે એકે દ્રિયપણાની અવસ્થા હેય, તેમાં પણ સૂક્ષમ એકેન્દ્રિય હોય અને તેને પણ એકલું શરીર હોય. તે પણ દેખી શકીએ નહિ તેવું અને અનંતા છ વચ્ચે એક જ શરીર! અનાદિ કાળથી તેને અનંતાની ભાગીદારીની ટેવ પડી. દુનિયામાં માલમિલકત અને ચીજમાં ભાગીદારી હોય, પણ શરીરમાં ભાગદારી કોઈ પણ જગ્યાએ હેતી નથી, ત્યારે સૂમ નિગદમાં તે શરીરની ભાગીદારી છે. કેઈનું શરીર સ્વતંત્ર નથી. મિલકત, મકાન વગેરે ભાગીદારીનું, પણ એકલું જે કંઈ હેય તે એક શરીર. તેમાં કેઈની પણ ભાગીદારી નહિ. ગર્ભમાં રહેલાને પણ શરીર સ્વતંત્ર. તેનાથી સુખદુઃખ ભેગવવું તેમાં સ્વતંત્ર. પિતાનું સુખદુઃખ બીજે ભેગવે નહિ. બીજાનાં સુખદુઃખ પોતે ભેગવે નહિ. જગતના દરેક જીવે જુદા છે અને કર્મો જુદાં છે
SR No.022352
Book TitleShodashak Prakaran Darshan
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri, Nityodaysagar
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy