SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ શક પ્રકરણ દર્શન અને વસ્તુ રહેલી છે, તેમાં કેટલાંક આવરણે રોકાયેલાં હોય, કેટલાંક સકાત હોય અને કેટલાંક ઝળકતાં હોય, પણ એક સ્વરૂપવાળી ચીજમાં એકજ અંશ એક પરમાણુ. તેમાં લાલ, પીળે, ધૂળે હેય તે બને ખરૂં લુગડાં વગેરે સ્કમાં તે બને. જેમ પરમાણુ ભાગ વગરની ચીજ હોવાથી તે કાળે પળે દેખાતું નથી. સ્કંધ અંશવાળ હવાથી લાલ, પીળે કળા, સુગંધી હોય છે. તેમ મતિજ્ઞાનાદિ જ્ઞાને તે બધાં અંશવાળા. તેમાં કેટલેક અંશ અવરાય, અને કેટલેક અવરો અંશ ખૂલ્ય હેય. . કેવળજ્ઞાન અખંડ સ્વરૂપવાળું છે. તેમાં આવરણ આવ્યું હોય, આવતું હોય અને પ્રકાશ રહેતું હોય તે ત્રણે ચીજ ન બને. જે આ વાત ખ્યાલમાં આવશે, તે મતિજ્ઞાનના અઠ્ઠાવીસ ભેદ જેમ છે તેમ. કેવળજ્ઞાનના ભેદ કેમ નહિ? તે ખ્યાલમાં આવશે. કેવળજ્ઞાન જબરજસ્ત છે, માટે અખંડરૂપ છે. સર્વ કાળ, દેશ, અવયવ સંપૂર્ણ હોય એવું તે જ્ઞાન થયા પછી તેના ઉપર જુદા જુદા શબ્દો લગાડવામાં આવે છે. જિન, સર્વજ્ઞ, સર્વદશ વગેરે ન લગાડવામાં આવે તે બધું એકી સાથે તેને કેવળજ્ઞાનમાં માનવું પડે, માટે જુદા જુદા શબ્દ છે. જેને જ્ઞાનાવરણીય, સત્તા, ઉદય. બંધમાં નહિ તેને આત્મા કોણ? તે તે છે વીતરાગ. જેને જગતના કેઈ પણ પદાર્થ તરફ પક્ષપાત અને અરૂચિ નથી. . . કઈ પણ પદાર્થ સંબંધી રાગ કે દ્વેષ નહિ તે જીવ જ્ઞાનાવરણ કર્મ વગરને હોય. તેને જ્ઞાનાવરણ કર્મ સત્તામાં, ઉદયમાં અને બંધમાં ન હોય, પણ જે મારા તારાની રમતમાં પણ પડેલા છે, જેમકે “મારે ભગત એટલે તારે. તું મારે શરણે આવ્યા તેથી હું તને સર્વ વાતર્થી છોડાવીશ. શત્રુ હશે તેને હરાવીશ.” જેને આવી રીતે રાગષ છે તે જ્ઞાનાવરણ બાંધ્યા વગર રહે નહિ. માટે તે બંધ, ઉદય, સત્તામાં હોય તેને અખંડ જ્ઞાન હોય જ નહિ. તેથી તે આત્મા, જીવ જોવાને વખત જ નહિ પણ આત્માનું જ્ઞાન કેણ ધરાવે?
SR No.022352
Book TitleShodashak Prakaran Darshan
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri, Nityodaysagar
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy