SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮. વચનને અર્થ ૧૬૫ મેળવનારે જીવ અનંતકાળમાં કેઈક જ હેય. જેમ કહેવત છે કે એક એક તણખલું ગામ બાળે,” તે કેટલા તણખલાંએ ગામ બાળ્યાં? તે બોલો ભાઈ! તે બેલ્યા તે શું જૂઠું ?ના. તે સાચું છે, પણ તણખે ઘાસમાં પડે, પવનનું જોર લાગે તે ગામ આખાને બાળી નાંખે. તણખાની શક્તિ ગામ આખાને બાળવાની છે. ઘાસ, કાપડ, રૂને વેપાર હોય ત્યાં એક તણખો આખા ગામને બાળે. અહીં ગામ બળ્યાં નથી પણ તેની તાકાત કેટલી ? તાકાત ગામ બાળવાની છે, પણ તેવું થવાને પ્રસંગ કઈક જ વખત આવે, તેમ આત્માની તાકાત તેટલી છે. અંતર્મુહૂર્તમાં મિથ્યાત્વમાંથી નીકળે અને ચૌદમે ગુણઠાણે જાય. તે તાકાત અજમાવવાને વખત અને તે અજમાવનાર જીવ અનંતા કાળે કેઈક નીકળે. સ્ત્રી તીર્થકર, તીર્થકરને ગર્ભાપહાર, કેવળી અવસ્થામાં ઉપસર્ગ વગેરે આશ્ચર્યો અનંતી ઉત્સર્પિણી–અવસર્પિણીઓ બન્યાં. તેમ આ પણ અનંતા કાળે બને. આ શક્તિને અર્થ આશ્ચર્યને ભાઈ. મિથ્યાત્વ ગુણઠાણે અનાદિથી રહેલ હોય તે અંતર્મુહૂર્તમાં મેક્ષ મેળવે તે તાકાત જીવની છે. પણ તેવું બને અનંત કાળે. માટે તે આશ્ચર્યને ગણાય ભાઈ. આડી ઊભી લીટીમાંથી એકડે! આ વાત આચાર્ય ભગવાન હરિભદ્રસૂરીશ્વરજીને પંચવસ્તુમાં જણાવવી પડી કે દુનિયામાં કાયાની ક્રિયા-એ અભ્યાસ છે. આપણે જન્મ લીધો પણ તેમાં એક કેસે કર્યો? કેમ? તે એકડો ભર્યો ન હતું. એકડાની વાત કેમ? તે લીટા આડા ઊભા કરતાં કરતાં સીધો એકડે થયે. કાયાની ક્રિયાએ તે અભ્યાસ છે. એ અભ્યાસ આટલે કે કાયાની ક્રિયાને જીતવી તેમાં મુશ્કેલ છે તે પછી મન માંકડું કયાંથી સીધું થાય? તેને માટે હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે કહ્યું કે અનંતી વખત મન માંકડું વાંકું થાય તેથી અનંતકાળ ગયા પછી સીધું થાય. આ વાત શાસ્ત્રની દષ્ટિએ મેળવશું તે કબૂલ કરવું પડશે કે અનંતી વખત જીવ નવ રૈવેયક જઈ આવ્યું. વ્યવહાર રાશિમાંથી
SR No.022352
Book TitleShodashak Prakaran Darshan
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri, Nityodaysagar
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy