SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩. ધર્મનું નિરૂપણ ૧૧ તમન્નાવાળા રહેવું. મારા આ વિચાર કરીએ ત્યારે ભદ્રબાહ સ્વામીએ જે લક્ષણ કર્યું કે અનાર્યથી ભિન્ન તે “આય. જેમાં ધર્મ એવા અક્ષરે સ્વને પણ ન હોય તે જનસમુદાય “અનાર્ય અને જેને ધર્મની તમન્ના હોય તેને “આય કહીએ. માટે આર્ય માત્ર ધર્મની ઈચછાવાળે છે, પણ ધર્મ તે ઇન્દ્રિય અને વ્યવહારને વિષય નથી. મતભેદ કયાં છે? જગતમાં ઈન્દ્રિય અને વ્યવહારના વિષયમાં કેઈને મતભેદ હોત નથી. ભલે પૂર્વ છેડાથી પશ્ચિમ છેડે જાઓ. ત્યાં બે ને બે ચાર કહેશે પણ કોઈ પાંચ નહિ કહે. તેમ ગોળને મીઠાશવાળો અને લવણને ખારું કહેશે, પણ બીજું નહિ કહે, માટે તેમાં મતભેદ નહિ પડે. પણ જગતમાં જે બુદ્ધિને વિષય હેય કે જે અક્કલને વિષય હેય ત્યાં મતભેદને અવકાશ છે. તમારે બજારમાં કોઈને મંદી અને કેઈને તેજી લાગે તેમાં મૂર્ખ કેણ! બેય રાજા પરસ્પર લઢે છે, બેય જીતનારા છે. એકેને હારવાનું લાગતું નથી. તેથી જણાવે છે કે ભવિષ્યના, અકલ-બુદ્ધિના વિષયમાં મતભેદ હોય છે પણ મતભેદ ન હોય તેમ નથી. ઈન્દ્રિય અને વ્યવહારના વિષયમાં મતભેદ રહેલે છે. તે પછી આ તે “ધર્મ” શબ્દ. એ બેલ ઘણે સહેલે પણ તેના દાખલા, ગુણ વગેરે વિચારીએ ત્યારે મુશ્કેલ. ધર્મનું નિરૂપણ કેણ કરી શકે? પહેલાં તે આ આત્મા “જીવ પદાર્થ દેખે. જ્યારે શુદ્ધ પરિણતિ થાય તેને ધર્મ અને અશુદ્ધ પરિણતિ થાય ત્યારે તેને અધર્મ માનનારે થાય, પણ “જીવ પદાર્થ ન દેખે તે શુદ્ધને શુદ્ધ અને અશુદ્ધને અશુદ્ધ કહી શકે કયાંથી? હવે ધર્મ, તેનાં અનુષ્ઠાને ને તેના રિવાજે તે બીજાઓને અનુકરણ કરવાં પડે. કેને? જેઓ આત્માને સાક્ષાત -જાણતા નથી તેમને માટે ધર્મને કહેનારા હોય તેને સર્વજ્ઞપણું હોવું જોઈએ. તે સિવાય અરૂપી એ “આત્મા–પદાર્થ જાણી શકાય નહિ.
SR No.022352
Book TitleShodashak Prakaran Darshan
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri, Nityodaysagar
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy