SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ શિક પ્રકરણ દર્શન જૈનેમાં ધર્મ ગણે તેમ દેવ માનવાનું, ગુરૂ માનવાનું અને તત્ત્વ ગણો તેમાં જીવનને જેલપણામાંથી મહેલપણામાં દાખલ કરે. મહેલ ઉપર ઊભા હોઈએ તે ચારે બાજુ દષ્ટિ થાય. તમારું જીવન મહેલ બન્યું હોય તે ગયા જીવન અને આવતા જીવનના વિચારે જરૂર આવે. આ જ ગણધર મહારાજે જીવનને અંગે કહેલું. પણ તે મહેલ બને કેને અંગે ? જેલપણામાંથી નીકળે શી રીતે? અનાદિ કાળથી આ જીવન જેલપણુમાં છે તે મહેલપણે બનાવવું છે તે કઈ રીતે અને કેવી રીતે થાય? તે તેના ઉપાયે સમજુ માણસ જરૂર ખોળે. અન્યમતવાળા દેખાદેખીથી ફસાવવા, ભરમાવવા માટે એ માનનારા છે, આપણું જીવન સારું થાય, ખરાબ ન થાય તે શાથી થાય ? ધર્મ કરે તે થાય. જ્યાં સુધી પોતાના જીવને જવાબદાર, જોખમદાર, કર્તા, અકર્તા, અન્યથા કર્તા વગેરે ત્રણ સત્તાવાળો જણાવે નહિ. ત્યાં સુધી. પિતે આવતી જિંદગી સુધારી શકે નહિ. આવતી જિંદગીમાં સદ્ગતિ. મેળવવાનાં કારણે ને તે મેળવવાની તાકાત જોઈએ. તેમાં આ જગતમાં નિયમ છે કે “સારા શબ્દો સૌને ગમે કોલ આવ્યો હોય. લાલ આંખ થઈ હોય તે વખતે કઈ કહે કે, ભાઈ! આમ છે તે હે, હે. ક્રોધ ચડે તે હાં, હાં. કોધ વગરની સ્થિતિ સારી છે, પણ તેથી તેને બોલવું પડે. સારા શબ્દનું આકર્ષણ એક માણસે ખૂન કર્યું. એ પકડાયે. પૂરાવાથી સાબિત થયું કે તે પૂની છે. કેટે પણ નકકી કર્યું કે આ ખૂની છે. પણ દુનિયામાં, સજાને અમલ ગુના સાથે નહિ. ગુને થયે હેય, પણ સાબિત ના થાય ત્યાં સુધી “બિનગુનેગાર માનીને ચાલવું પડે. પૂરાવાથી ખૂન સાબિત થયું. કોર્ટે પણ ગુનેગાર તરીકે માન્ય. ચાર્જ ફાઇલ કર્યો. છતાં પૂછવામાં આવે છે તે કહે કે હું મારી જાતને બિનગુનેગાર”
SR No.022352
Book TitleShodashak Prakaran Darshan
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri, Nityodaysagar
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy