SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ષોડશક પ્રકરણ દર્શન હિંસા કરી કે દાન કર્યું તે પરમેશ્વરે કરાવ્યું એમ માને છે તેમાં પિતાને શું? પાનાભાઈ જેવા કહે કે કર્મ તે જડ છે, તે કેવી રીતે સારૂં કે ખરાબ ફળ આપશે? માટે તે આપનાર બીજે જોઈશે ને? પણ વિચાર કરે તે માલુમ પડે કે આપણે સાકર ખાધી અને ઠંડક થઈ તે તે ઠંડક ખાનારને થઈ, નહીં કે બીજાને. મરચાં ખાધાં અને બળતરાં થઈ તે તે બળતરા કેને કરી? તે કરી કે બીજાએ કરી? “મરચાએ કરી’ એમ ન બેલીશ. કેમ? મરચાં તે જડ છે. કવીનાઈનથી તાવ ગયે પણ કવીનાઈન તે “જડ છે. શરદી થાય તેમાંથી ન્યૂમેનિયા થાય, યાવત મરી જાઈએ તે તે કરનારને બીજે હોઈને ? ના. કેમ? શરદી તે જડ છે. જ્યારે તું સાકરથી ઠંડકની, મરચાંથી બળતરાંની, શરદીથી તાવ વગેરેની શક્તિ માને છે તે કર્મ-પુદ્ગલેએ તારું શું બગાડ્યું ? કે તે કરનાર બીજો જોઈએ એમ તું શું જોઈને બોલે છે ? ઈશ્વર ઠેર ! સુખદુઃખ બધાને અંગે દેખીએ છીએ તે તે સુખદુઃખ પુદ્ગલ છે ને? માટે પુગલ પુદ્ગલ ઉપર અસર કરે છે. પુદ્ગલ સુખદુઃખ કરે છે. સુખદુઃખ કોને થવાનું ? જડને કે ચેતનને? પુદ્ગલ અસર ન કરતે હોય તે પુદ્ગલને બાંધી રાખે અને કહો કે “તું જા, તે કેમ નથી જેતા? તે તે પુદ્ગલને આધીન છે. જે સાકર, ઘી, મરચાં, કરીનાઈન વગેરે પુદ્ગલેની અસર થતી દેખીએ છીએ, તે પછી કર્મ જડ છે એટલે? “તે શું કરશે ? એમ તું શું જોઈને બેલે છે? દુનિયામાં પદાર્થો નથી, તેમ નહિ બેલતાં, હું તેમને નથી દેખતે તેમ આંધળાઓ બોલે નહિ તે તે કે ગણાય? તેમ “આ નજરે જે દેખે, છતાં જગતમાં તે નથી, તેમ બોલે છે. પુદ્ગલ શું કરે? તે જડ છે ને? પુદ્ગલને આધારે જીવ સુખદુઃખ, જીવનમરણ, મન, વચન, કાયાને અનુભવે છે, છતાં પુદ્ગલ છે તે જડ, તેથી તે શું કરશે ?
SR No.022352
Book TitleShodashak Prakaran Darshan
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri, Nityodaysagar
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy