SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ અાખવા ઊભી થાય. એના વિના જીવન અસાર કૂચા લાગે. હૃદયમાં ધર્મની ભાવના એવી ઉછળ્યા કરે કે ધર્મના બાધક પ્રલેભને તુચ્છ એણે. ભય રહે કે આ દુન્યવી પ્રલેભનેથી રખે ધર્મ ભાવના તૂટે ! ધર્મભાવના શું શીખવે છે? : ધર્મ ભાવના તે શીખવે છે કે “નાશવંત અને આત્મહિતઘાતક જડ પદાર્થની બહુ કિંમત શી આંકવી? રસદાર ભજન કે હીરામાણેક આદિ તે જીવને પાગલ બનાવી નચાવનારા છે, દુર્ગતિના કૂવામાં ઉતારનારા છે. એના શા આઓ રાખવા? દિલની અભિલાષા તે એક માત્ર અનાસંગ પદની રખાય, પણ પુગલના સંગની નહિ. હીરામાણેક, મેવામિઠાઈ બંગલા-વાહન વગેરે બધું તે એકેન્દ્રિય જીના કલેવર છે. એવા તુચ્છ કલેવર માટે ક્ષુદ્ર શું બનવું? એની ઉજાણી શી માનવી? મડદા પર ઉજાણી ગધડા કરે, ક્ષુદ્રતાને લીધે આવા વિચારનું સ્વપ્ન પણ નથી આવતું. ઉલટું તત્વની મશ્કરી કરવાનું સુઝે છે ! નિબુદ્ધિ પિતાની જાતને મહાબુદ્ધિમાન માની મહાજ્ઞાનીઓને સમજણ વિનાને માને છે. અગર થોડું શાસ્ત્રજ્ઞાન પણ હોય તો ય ક્ષુદ્રતાવશ પોતાની પ્રજ્ઞતાને ભ્રમ અને અભિમાન ભારે! ટૂંકમાં કહીએ તો આ ખતરનાક ક્ષુદ્રવૃત્તિના પાયા પર અનેકાનેક દેશ દુર્ગણે અને દુષ્કૃત્યે એટલા રસપૂર્વક સેવાય છે કે ત્યાં ગુણબીજ લાવે એવા વિષયવિરાગ, કષાયારુચિ, ક્ષમાદિગુણોની પ્રશંસા, ભવને ભય, મોક્ષની ચિ વગેરેના ફાંફા હોય છે.
SR No.022349
Book TitleUcch Prakashna Panthe
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay Gani
PublisherVardhaman Jain Tattvapracharak Vidyalay
Publication Year1966
Total Pages584
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy