SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ સુખશીલતામાં, માનપાનમાં, કષામાં, મસ્તાન બો! સંજ્ઞાઓ એણે જીતી નહિ, પણ સંજ્ઞાઓથી એ જીતાય! મોક્ષ સાધનામાં બીજ સમ્યકત્વઃ સબીજ ક્રિયાથી જ મોક્ષઃ પ્રોફેસરે વિદ્યાથીને ૨૫ વર્ષ ભણા. મહાન ગ્રંથોનું દેહન આપી આપી શિષ્યને ભણાવ્યું પણ છવ્વીસમા વર્ષે પરીક્ષા લીધી ત્યારે સામાન્ય ગણિતના હિસાબમાં ચૂક્યો. કેવું કરૂણ અંજામ ! તેવી જ રીતે સાધુધર્મ લીધો પણ તેના ફળમાં સંસાર મળે એ કરુણ અંજામ થયો. હિંસાની ઘેલછા અસંયમની અહર્નિશ કુટેવ, ખાવાપીવાની લાલસા, વિષયની લંપટતા, કષાય અને પ્રમાદની પરવશતા આત્માને દયાદ્રિ કેટમાં મૂકે છે. સાધુકિયા કરી પણ ફળ ન મળે તે સમજવું કે વિધિ અને કમમાં ખામી છે. ક્રમથી વિધિપૂર્વકના માર્ગ તરફ માત્ર સમ્યક દષ્ટિ પણ થાય, તે પણ તેની ભવસ્થિતિ અર્ધપુલ પરાવર્તની અંદરજ. તે વિના ભાવિમાં પારવિનાને સંસાર છે ! માટે સમ્યકત્વ વિનાની કંઈપણ કરણી અથવા સમ્યકત્વ વિનાનું ચારિત્ર અામી સંસાર-સ્થિતિકાળની કઈ ગેરેન્ટી (પ્રમાણપત્ર) નથી આપતું. કેમકે એ કિયા નિબ જ છે, વધ્યા છે. બી નહિ હોય તે ફળ થવાની આશા જ નથી. દરેક ક્રિયા અને ચારિત્રમાં બીજ એટલે તત્વશ્રદ્ધા અને મોક્ષરુચિ હેવી જ જોઈએ. બીજવિનાની ક્રિયા નિબીજ ગણાય, સબીજ કિયાથી જ ફળની પ્રાપ્તિ થાય. સબીજ કિયા આવ્યા પછી દીર્ઘ સંસાર ન હોય. આત્માના પ્રદેશ પ્રદેશે (અણુએ અણુએ) તત્ત્વની શ્રદ્ધા અને મેશરુચિ હોય તે કઈપણ ક્રિયા તેને સંસારમાં
SR No.022349
Book TitleUcch Prakashna Panthe
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay Gani
PublisherVardhaman Jain Tattvapracharak Vidyalay
Publication Year1966
Total Pages584
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy