SearchBrowseAboutContactDonate
Page Preview
Page 554
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવજ્યા-ફલસૂત્રમ ] ૪૯૭ (૧૩) જિનાજ્ઞા સામંતભદ્રા : પાત્ર કેણુ? સૂત્ર-gણા બાળા રૂછું માવો સમંતમા તિપિરિયુદ્વીપ, अपुणबंधगाइगम्मा । અથર–અહીં ભગવાનની આ (ઉભય નયની) આજ્ઞા સમંતભદ્રા છે, ત્રિકેટિ-પરિશુદ્ધ છે, અપુનબંધકાદિ જીવથી સમજાય એવી છે. વિવેચન-સમંતભદ્રઃ ૩ પરીક્ષાશુદ્ધઃ અહીં શ્રી અરિહંત ભગવંતની ઉભયનયગર્ભિત અર્થાત નિશ્ચય-વ્યવહાર બંને નયને પ્રરૂપનારી આ આજ્ઞા, અથવા આ પંચસૂત્રમાં અનુવાદ કરેલી સર્વ આજ્ઞા સમંતભદ્ર છે–સર્વ રીતે નિર્દોષ છે. કેમકે એ કષ, છેદ અને તાપની વિકેટિ-પરીક્ષામાં શુદ્ધ સાબિત થયેલી છે. જેમ સુવર્ણને કસેટીએ કસી, વચ્ચેથી કાપી, જરૂર પડે અગ્નિ પર તપાવી પારખવામાં આવે છે, તેવી રીતે શાસ્ત્રવચનની પરીક્ષા કરાય છે. તેમાં અવિરુદ્ધ કલ્યાણ કર્તવ્યનાં વિધાન, અને વિરુદ્ધ કાર્યોનાં નિષેધ, જે શાસ્ત્ર ફરમાવ્યા હોય, તે શાસ્ત્ર “કષ પરીક્ષામાં નિર્દોષ ઠર્યું. વળી એ વિધિનિષેધની પ્રાપ્તિ કે પાલન કરાવે એવી ક્રિયાઓ-આચારો બતાવનારું શાસ્ત્ર છેદ’ પરીક્ષામાં પસાર ગણાય. તથા એ વિધિનિષેધ અને આચાર સંગત થઈ શકે અર્થાત વિહિતને સ્વીકાર અને નિષિદ્ધને ત્યાગ તથા આચાર-કિયા ઘટી શકે, એવાં તવ અને સિદ્ધાન્તની વ્યવસ્થાવાળું શાસ્ત્ર એ “તાપ” १ विधिप्रतिपेधौ कषः । २ तत्संभवपालनाचेष्टोक्तिश्छेदः । ३ तन्निबन्धन-भाववादस्तापः । - ૩૨
SR No.022349
Book TitleUcch Prakashna Panthe
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay Gani
PublisherVardhaman Jain Tattvapracharak Vidyalay
Publication Year1966
Total Pages584
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy