SearchBrowseAboutContactDonate
Page Preview
Page 546
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રત્રજ્યા-ફલસૂત્રમ ] ૪૮૯ કાળથી; એટલે કે અમર્યાદિતકાળથી. ભવ્ય ખૂટી જવાનું જે આ અમર્યાદિતકાળમાં ન થયું એ હવેના ભાવી મર્યાદિતકાળમાં શે થાય ? અનંતજ્ઞાનીનું વચન છે કે સંસારને કદી અંત નથી. જ્યારે પૂછો ત્યારે કહેવાશે કે એક નિગદના અનંતમાં ભાગ જેટલા જ સિદ્ધ થયા છે. આ આગમગમ્ય પદાર્થ છે. એ શ્રદ્ધાથી સ્વીકાર્ય છે. ભવ્ય -જાતિભવ્ય-અભવ્ય - બીજી એ પણ વાત છે કે સર્વ ભવ્યોને ય સિદ્ધિ મળવાનો પ્રશ્ન નથી ઊભે થતે તે એટલા માટે, કે કેટલાએક ભવ્યજીમાં તે માત્ર યોગ્યતા (સિદ્ધ થઈ શકવાની લાયકાત)રૂ૫ ભવ્યત્વ છે, કિંતુ ભવ્ય છતાં પણ તે કયારેય સિદ્ધ નથી થવાના; કેમકે સદા નિગોદમાં રહેવાથી એમને મોક્ષ પામવાની સામગ્રી જ કદી મળવાની નથી. આવા ભવ્યને જાતિભવ્ય કહેવાય છે. એમનામાં ભવ્યત્વને સર્વ જોઈ શકે, જુએ છે. પ્રવે-તો પછી જાતિભાગ્ય અને અભિવ્યમાં શાથી ફેર ? - ઉ–પ્રતિમા ઘડવાયેગ્ય કાષ્ઠને દષ્ટાંતે ફેર છે. પ્રતિમા ઘડવાનું ભલે સમાન હોય, છતાં કાષ્ઠ કાષ્ઠમાં ફરક હોય છે. ગાંઠ વગેરેથી રહિત કેઈ કાષ્ટ તે પ્રતિમાને યોગ્ય ગણાય છે. ત્યારે તેવું ગાંઠ આદિવાળું કાષ્ઠ પ્રતિમા–ગ્ય જ ગણાતું નથી. ત્યારે પ્રતિમાયેગ્ય કેટલા ય કાષ્ઠ સંગ-સામગ્રીના અભાવે પ્રતિમારૂપે ઘડાવાનું બનતું નથી. સ્વયંભૂરમણદ્વીપની માટીના ઘડા કેણ ઘડવાનું હતું? છતાં શું એ માટી ઘડાયોગ્ય નથી ? છે જ, વંધ્યત્વ વિનાની સુશીલ વિધવાને કદી પુત્પત્તિ નહિ થાય. છતાં એનામાં ગ્યતા ખરી. એવું જાતિભવ્યો છે. ત્યારે
SR No.022349
Book TitleUcch Prakashna Panthe
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay Gani
PublisherVardhaman Jain Tattvapracharak Vidyalay
Publication Year1966
Total Pages584
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy