SearchBrowseAboutContactDonate
Page Preview
Page 459
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૨ [પચસૂત્ર-૪ વધે છે ને?” એ રીતે આત્મામાં તત્વનું સંવેદન (સમ્યક જ્ઞાન) અને આત્મતેજ વધારતે જાય છે. - એક વખત કોઈ સંયમી પિતાપુત્ર વગડામાં વિહાર કરતા ચાલ્યા જાય છે. ભર ઉનાળાને દિવસ છે. માઈલે ચાલી નાખ્યા છે. મધખ તાપથી રસ્તે જાણે સળગી ઉઠ્યો છે. ત્યાં દીકરાને થાક ઉપરાંત તૃષા લાગી છે. ઉંમર બાલ છે. શરીર પરસેવાથી રેબઝેબ છે. મુખ કરમાયું છે. તરસ વધતી ચાલી. ભયંકર પીડા થવા લાગી. બાપે આ સ્થિતિ જાણી. તેવામાં એક તળાવ નજરે પડયું. બાપ મનમાં વિચારે છે કે જે આ પાણી છોકરો પીએ તે સારું. સ્નેહને વશ થઈને તેને કહ્યા કરે છે કે જે આ પાણીનું તળાવ છે પણ બાળ એ પાણીની ઈચ્છા વિના ધીમેધીમે બાપની પાછળ ચાલ્યો આવે છે. બાપે માન્યું કે આ મારાથી શરમાય છે, એટલે પાણી નથી પીતે, તેથી તે ઝડપથી છોકરાને પાછળ મૂકી આગળ ચાલ્યો. છોકરો બધી પરિસ્થિતિ પામી ગયે. બાપની તેવી ઈચ્છા જાણી તળાવ પાસે જઈ ખોબામાં પાણી ઉંચકવું, તને બેલાવી રહેલી તૃષાને બાપની ઈચ્છાનુસાર સંતોષવા ખૂબ મોઢા સુધી લાવ્યો ય ખરે; પણ તત્વ સંવેદનથી ત્યાં તેણે શું વિચાર્યું ? અહાહા ! ખેલા પાણીમાં કલેલ કરતાં અસંખ્ય છે કેમ જાણે પિતાનું મેત નજીક આવ્યું જાણું તરફડતા પ્રાણની દયા માગે છે. તમારા એક જીવન ખાતર શા સારૂ અમને અસંખ્યને મારો ? વળી સંયમની આ પરીક્ષા વખતે નાપાસ કેમ થવાય ? એમ વિચારતાં તેને અનુકંપા આવી ગઈ. તેની વિચારસરણી ફરી. એહ ? આ હું શું કરી રહ્યો છું ! જે તૃષા-પરિસહથી કમરગ મટે છે. ભાવ આરોગ્ય વધે છે, તેને એવી રીતે ટાળવા મથું છું કે જેથી ચારિત્ર આરોગ્ય ઘવાય અને કર્મરોગ વધે ? શા માટે એવું કરું? પછી કરેગ કાઢવાનું ક્યાં મળશે ? મેં ઉત્તમ ચારિત્ર લીધું તેથી કેટલાય દુઃખ નાશ પામ્યા! એવા એ ચારિત્રને હું નહિ વિરોધું. એમ તત્ત્વસંવેદનેથી ઘેર પિપાસા પરિસહ, મેત સામે આવીને ઊભું છે છતાં, સહ્યો. સાચવીને નીચે બેબે કરી પાણી પાછું મુક્યું. પણ કાંઠે મૂછિત થઈને પડો. ક્ષણવારમાં આ સ્થૂલ કાયાને છોડી
SR No.022349
Book TitleUcch Prakashna Panthe
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay Gani
PublisherVardhaman Jain Tattvapracharak Vidyalay
Publication Year1966
Total Pages584
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy