SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૧ પ્રવજ્યા-પરિપાલન] ધ્યાન, એકાગ્રતા, મનન વગેરે યોગોમાં પણ સમજવાનું. આનું ફલ અપૂર્વ અને અલૌકિક ! જેમ જેમ ધર્મગમાં પ્રગતિ સાધે, તેમ તેમ તે તે આત્મગુણને અટકાવનાર પાપકર્મોથી સુકાઈ જાય છે. તેથી તે તે ગુણે પ્રગટ થાય છે, સિદ્ધ થાય છે. દા. ત. તપને વેગ સિદ્ધ થતો જાય, તેમ તેમ આહાર સંજ્ઞાના ઉત્તેજક પાપ કર્મથી એ મુકાતે જાય, કે હવે જે તપ કરતા ભૂખ લાગી, અને મનમાં લડઈ થાય, તે તે તપ સાથે નહિ, પણ આહાર-સંજ્ઞા સાથે, જુગલની પરાધીનતા સાથે થાય. અહીં અબ્રાન્ત અનુત્સુક બની અન્ય અન્ય બાધા વિના, દાનાદિ કિયા અને શુભ ભાવ, વિરાગ અને ઉપશમ, સંયમ અને સ્વાધ્યાય, અહિંસા અને સત્ય, પવિત્રતા અને નિસ્પૃહતા, વિવેક અને વિરતિ, વિનય અને વૈયાવચ, શ્રમણપણું અને અપ્રમાદ, ભાવના અને ધયાન વગેરેના વેગો ઉત્તરોત્તર એવી રીતે સાધે, કે તે તે ઘાતી કર્મથી એ મુકાતે જાય. તેથી તે તે ગુણોને પ્રગટ કરતે અસ્થિરમાંથી સ્થિર દીવ તરફ જઈ રહ્યો હોય. સૂત્ર-વિમુક્સમાણે મવં મારિરિઝમારા ! અર્થ -(ઉત્તરોત્તર) વિશુદ્ધ થતા ભવના અંત સુધી ભાવક્રિયાને આરાધે છે. વિવેચન -એમ ઘાતી પાપકર્મથી મુકાતે જે આત્મા ઉત્તરોત્તર અધિકાધિક વિશુદ્ધ થતો જાય છે, તે આ જન્મપર્યત કે સંસાર પર્યત કરેગ ટાળી ભાવ-આરોગ્ય (મેક્ષ, નિર્વાણ) સાધી આપનારી ભાવકિયા (આત્મરેગની ચિકિત્સા) ને આરાધે છે. સાધે છે. કઈ ભાવ-ક્રિયા ? ઔચિત્ય, આરંભ, અને નિર્વ
SR No.022349
Book TitleUcch Prakashna Panthe
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay Gani
PublisherVardhaman Jain Tattvapracharak Vidyalay
Publication Year1966
Total Pages584
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy