SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૪ [પંચસૂત્ર-૪ ઘડે. માથાવાઢ દુશમન પર પણ ક્ષમાના સંકલ્પ ઘડે. મનમાં કેઈએ કરેલ પિતાના મહાન અપમાનને પ્રસંગ કલ્પી, ત્યાં નમ્રતા મૃદુતાને મને રથ કરે. એમ માયાત્યાગ, લેભત્યાગને મનોરથ કરે. આવી રીતે ઇંદ્રાણી ય જોવાના જેને કેડ નથી, મને રથ નથી, તે આ સંસારની ગમે તેવી સુંદર સ્ત્રીને શું જુવે? મળ, મૂત્ર, અને માંસની ગંદકીને ઘાડે ! માત્ર ઉપરથી તદ્દન પાતળી ચામડીએ મઢેલ. અનંતગુણનિધાન પરમાત્માને મૂકી, એમાં શું જવાનું ય હતું? ભયંકર પરિસહ ઉપસર્ગમાંય ધીરતાના મને રથ જેણે કર્યા અને સામાન્ય પ્રતિકૂળતા શું અધીર બનાવે? આમ ઉપર કહેલા ઉપાયે સેવી શું કર્યું ? ગુણ અને ધર્મને આત્માના સ્વભાવરૂપે ઊભો કર્યો. સામગ્રી વિના પણ અંતરમાં દી પ્રકાશિત કર્યો. આને અર્થ એ નથી કે શુભ સામગ્રી ઉવેખે; પણ એ કહેવું છે કે શુભ સામગ્રી રહિત કાળમાં ય અને બાધક સામગ્રીના સોગકાળમાં ય શુભ પરિણામને તેજસ્વી રાખે. પછી તે દા. ત. રસને થાળ નહેતે ત્યારેય જે વૈરાગ્ય નહેતે, તે એ થાળ સામે આવે, વિનવે, લલચાવે, છતાં એના પ્રત્યે દઢ વૈરાગ્યથી લક્ષ પણ ન આપે. ક્ષાયિક ગુણેમાં જવા માટે તે, આત્મપતન કરાવનાર સંગ ઊભો થાય તેય તેની કોઈ અસર આત્મા પર ન થાય તેવું અચલપણું પ્રાપ્ત કરવું છે. આજ સુધી એવું હતું કે કોઈ ગુસ્સે ન કરાવે ત્યાં સુધી ક્ષમા રહેતી. અને પ્રતિકૂળતામાં ક્ષમા ભાગી જતી. એ અસ્થિર દીવ કહેવાય. પણ હવે એને સ્થિર કરવાનું છે. ત્યાં એ વિચારાય કે “જ્યાં ગુસ્સે થવાને પ્રસંગ નથી, બધી સારાસારી છે, ત્યાં શી ક્ષમા કરવાની ?
SR No.022349
Book TitleUcch Prakashna Panthe
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay Gani
PublisherVardhaman Jain Tattvapracharak Vidyalay
Publication Year1966
Total Pages584
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy