SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૮ [ પંચસૂત્ર-૪ તે પિડાઓ એવી, કે આત્મા જાણે માંહીથી વધુ કહેવાય, અને ફરી ફરી એ વિષય-કષાયની અને આધિ-વ્યાધિ-ઉપાધિની વેદનાઓ ઊઠે ચારિત્રદ્વીપ એમાંથી કે સરસ બચાવે ! (૩) વળી ભવસાગરમાં જીવ અનત કાળથી મોહમાયામાં ડૂબતે, અને તેથી ચારે ગતિના વિશાળ પટમાં ડૂબકાં ખાતે, ઘડીમાં ઉપર આવતે, તે ઘડીમાં નીચે, તે ઠેઠ તળીયે જાતે! ક્યારેક પોતે પુણ્યથી માયા પર હકુમતવાળે એટલે ઉપર થતે; અને બહુવાર તે માયાનું સામ્રાજ્ય પિતાના ઉપર, એટલે પિતે તદ્દન નીચે દબાતે ! વળી ઉપર એટલે ક્યારેક દેવગતિમાં, તે ક્યારેક નીચે, ઘર સાતમી નરકે ! એથી પણ વધુ નીચે બેભાનપણે શક્તિહીન અને મૂછિત થઈ નથી અનંતગુણ દુઃખી નિગોદમાં ફેંકાઈ અનંતા કાળચકે સુધી દટાઈ દફનાવી જવાનું બનતું ! ત્યારે હવે ચારિત્રદ્વીપ મળ્યાથી કેટલી રાહત! મેહમાયાના આવર્તે-ભમરીઓ હવે અહીં ન નડે. સંસારમાં ઊંચે નીચે હવે નહિ અથડાવાનું. (૪) ભવ સમુદ્રમાં પડેલા જીવનું ક્ષાપશમિક અને ક્ષાયિક સમ્યક્ત્વ, ક્ષમા, તૃપ્તિ, સંયમ, જ્ઞાન, વીર્ય, અવ્યાબાધ સુખ, અક્ષય સ્થિતિ વગેરે ઝવેરાત બેરવિખેર થઈ ગયેલું. સંસારસાગરની ગુંગળામણમાં જીવને એનું તે ભાન નહિ હતું, પણ જાતનું ય ભાન ન મળે ! પિતે કોણ છે, કે છે, ક્યાં પડ્યો છે, એ કાંઈ સમજ નહિ! ત્યાં અહે! હવે તે જાત, ઝવેરાત બંનેને સલામત કરી આપનારે ચારિત્રદ્વીપ મળે! કેટલો આનંદ! કેવું અનંત પુણ્ય !
SR No.022349
Book TitleUcch Prakashna Panthe
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay Gani
PublisherVardhaman Jain Tattvapracharak Vidyalay
Publication Year1966
Total Pages584
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy