SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ 3४८ [ પંચસૂત્ર-૪ જાતની હોશિયારી દેખાડવાનું પણ થશે; (૫) પ્રસંગે ગુરુની સલાહ લેવાનું મન નહિ થાય; (૬) ખાટાં સાહસને સંભવ રહે છે. સિંહગુફાવાસી મુનિએ ગુરુ-બહુમાન ગુમાવ્યું તે એમની સલાહ ઓળંગી કેશાને ત્યાં ચોમાસુ કરવા ગયા, અને પડયા! (૭) બહુમાન નહિ તેથી અભિમાન પિષાય; એથી જ્ઞાનાવરણાદિ કર્મ વધે! બીજી સાધનાઓ નિષ્ફળ જેવી નીવડે. ગુરુ-બહુમાનથી મૃગાવતી, ચંડરુદ્રાચાર્યના શિષ્ય, પુષ્પચૂલા વગેરે કેવળજ્ઞાન પામ્યા. (૩) તેમજ મુનિ “વિનીત એટલે બહારથી પણ અત્યંત વિનય-મર્યાદાવાળો હોય; શુશ્રષા, સેવા, અને ભક્તિમાં તત્પર જ રહેતો હોય; ગુરુની આજ્ઞાને શંકા વગર હર્ષથી ઉઠાવતો રહે એટલું જ નહિ, બલકે ઘણું તે ઈશારાથી સમજી, તેમ દ્રવ્ય ક્ષેત્ર-કાળ-ભાવ પરથી સમજી, ગુરુની સેવા બજાવીને “વિણયમૂલ ધમે” ધર્મના પાયામાં વિનય જોઈએ એ સમજી, એને અનુકૂળ વતી લે. એને કહેવું ન પડે. ગુરુના અવિનયથી નુકશાન : ગુરુવિનય ચાર જ્ઞાનના ધણી, પ૦૦૦૦ કેવળજ્ઞાનીના ગુરુ, અને સ્વંય દ્વાદશાંગીના રચયિતા તથા પ્રથમ ગણધર શ્રી ગૌતમસ્વામી જેવાએ સુંદર આરા! તે આપણે તે એમના આલંબને અવશ્ય સાધવો જ જોઈએ, ગુરુવિનય નહિ હોય તે (૧) અવિનય, ઉદ્ધતાઈ આવે, મદ પોષાય. (૨) કાયાની સુખશીલતા અનાદિ કાળની જેમ અહીં પણ અકબંધ રહી ભારે કર્મબંધન કરાવે. (૩) વારંવાર વિનય સાચવીને મદ વગેરેના કુસંસ્કાર ભૂસતા જવાની સુવર્ણ તક જાય ! (૪) ઈતર પણ
SR No.022349
Book TitleUcch Prakashna Panthe
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay Gani
PublisherVardhaman Jain Tattvapracharak Vidyalay
Publication Year1966
Total Pages584
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy