SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૮ [ પંચસૂત્ર-૪ અર્થ એમ થાય કે (i) આગ્રહદુઃખ વિનાનો, (ii) અગ્રહદુઃખ વિનાને, (ii) ગ્રહદુઃખ વિનાનો. (i) મુનિ પોતે અસદ્ આગ્રહી ન બને; આગ્રહના દુઃખ યાને કલેશ વિના ન બને. આગ્રહ એટલે અહંકાર કે લોભ વગેરે કષાયની પકડથી અતત્વને અભિનિવેશ, હઠાગ્રહ. એ દુઃખ છે, કલેશ છે. એ આત્માને પીડે છે, દુઃખની પરંપરા સર્જે છે. મક્ષસાધક સાધુ એનાથી રહિત હોય. એ સમજે છે કે “એવા કહાગ્રહથી તે બહુ તે પુણ્યકર્મના વિપાક ષિાય છે, એટલે કે યશ વગેરે મળે છે, પણ તેથી સત્તત્ત્વ-સન્માર્ગથી વંચિત રહી મદ પિોષાય છે. એમાં આત્માનું મેક્ષેપગી શું વળ્યું ?' આગ્રહના પાપ ભયંકર છે. “આ આમ જ થવું જોઈએ, અથવા આ આમ જ હેય, –એ આગ્રહ અનેક કુવિકલ્પ અને દુર્ગાનને સજે છે. આ ગ્રહવાળે દા. ત. પ્રતિકમણ કરવા ગયે. બારી પાસે જગ્યા ન મળી. તેથી પવન આવતો નથી. તે અનેક કુવિકપ ઘડશે, “આ માણસ બેઠે તેથી જ પવન રોકાઈ ગયે. જે તે આમ બેઠે હોત તો તેનું શું જાત ? બુદ્ધિ હેય તો ને ? બેસતાંય નથી આવડતું. ઘરના માણસેય એવા છે. ખબર ન રાખે કે મારે પ્રતિક્રમણ કરવા જવાનું છે. કટાસણું ઠેકાણે રાખ્યું હોત, તે વહેલે આવત, અને ચેકકસ સારી જગ્યા મળત.” અથવા “આટલો મોટો ઉપાશ્રય છે. તો બારીઓ વધારે રાખવી જોઈએ. હં, પેલી બારી બંધ છે. શું તે બંધ ન કરી હતી તે ન ચાલત ? પવન કેટલી છૂટથી આવત ? વિચારો કે “પવન આવવો જ જોઈએ—આ આગ્રહથી એ કેટલો દુઃખી થઈ રહ્યો છે ! એને એમ નથી થતું કે “બારી પાસે
SR No.022349
Book TitleUcch Prakashna Panthe
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay Gani
PublisherVardhaman Jain Tattvapracharak Vidyalay
Publication Year1966
Total Pages584
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy