________________
પ્રવજ્યા ગ્રહણ વિધિ ]
(૩૨૯ સાધક હોય. નહિતર એનામાં તત્ત્વ યાને ઉપાય પણું ઊડી જાય, કેમકે અતિપ્રસંગ થાય. આ નિશ્ચયનયને મત છે.
વિવેચન:-ઉપર કહ્યું તેમ, પ્રવજ્યા--પરિપાલન વખતે કેઈ બ્રાન્તિને વશ ન થવાય અને ચારિત્રના જે ઉપાયે આગળ કહેવામાં આવશે તેમાં પ્રવૃત્તિ કરવામાં આવે, તે વાસ્તવિક ચારિત્રપાલન અને તેનું ઈષ્ટ ફળ મોક્ષ સિદ્ધ થઈ શકે. જે કોઈ પ્રકારની ભ્રાતિ ઊભી થઈ તે દેખાવમાં ચારિત્રપાલન રહેવાનું, પરંતુ એના વાસ્તવિક ઉપાયમાં પ્રવૃત્તિ નહિ હેય. દા. ત. શિક્ષા ગ્રહણ એક ઉપાય છે, પરંતુ વિધિની વિપરીતા યાને વિનયને અભાવ વગેરે શિક્ષાની વિધિના વિપર્યાસથી કે ચિત્તના બીજા કેઈ ખોટા હિસાબ સાથે શિક્ષા લેવાય તે તે શિક્ષા વાસ્તવિક ચારિત્રને ઉપાય નહિ બની શકે. એટલે એ શિક્ષામાં ખરેખર ઉપયપણું જ નથી. એમ આચરનારે એ વિપર્યસ્ત બ્રાન્ત પુરુષ કહેવાય.
અવિપર્યસ્ત યાને બ્રાન્તિ વિનાને માણસ એવા આભાસરૂપ ઉપાયમાં એટલે અનુપાયમાં પ્રવૃતિ નહિ કરે. એ તે સાચા સાધનમાં જ પ્રવૃત રહેવાને. આ પરથી નક્કી થાય છે કે ફળના સાચા ઉપાય સમજી એમાં જ પ્રવર્તે, તે જ એની અબ્રાન્તતા કહેવાય, અને ત્યારે જ ફળની નિષ્પત્તિ થાય.
સાચે ઉપાય જ કાર્યને નિયમો સાધી આપે. એમ ઉપાય સાચો હોય તે કાર્ય ફળ અવશ્ય નિપજે. અન્યથા જે કાર્ય પેદા કરવાનું એનામાં સામર્થ્ય જ નથી, તે તે સપાદન કરેલ ઉપાયમાં ઉપાય પણું જ નથી. કાર્યનું એ કારણ જ ન કહેવાય. અર્થાત્ પિતાના કાર્યને ન કરનારે પોતાનામાંથી ઉપાય પણાને