SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રત્ર જ્યા ગ્રહણ વિધિ ] ૩૨૩ નિર્ધારથી ચારિત્ર લે તેને બરાબર અખંડ રાખે; એ શ્રદ્ધાદિમાં ભંગ ન થવા દે; વિપરીતભાવ અશ્રદ્ધા, રાગ, સંશય, બ્રાન્તિ, વગેરેને ન આવવા દે; ઉન્માર્ગે ન ચડે. “આચારાંગ સૂત્ર” કહે છે કે વિનંદિત્તા વિનોત્તિ વિતસિકા અર્થાત માર્ગખલનાને ત્યાગ કરે. અશ્રદ્ધાથી વિપર્યય ટાળવા માટે અશ્રદ્ધામાં ન તણાઈ જવા વિચારે કે “સર્વજ્ઞ અતીન્દ્રિયાર્થદશી પરમપુરુષે આ ચારિત્ર માર્ગ ઉપદેશ્ય છે. સ્વયં આચર્યો છે, મહાબુદ્ધિનિધાન ગણધર અને મોટા રાજામહારાજા-શેઠ-શાહુકારે પાસે આદરાવ્યું છે. તેથી એમાં મીનમેખ ફેરફાર હોય નહિ. આ કાંઈ ઈતરદર્શનની જેમ અસર્વજ્ઞનું શાસન નથી. આ તે પ્રત્યક્ષદષ્ટ કલ્યાણ સાધના છે. માટે “હે? આટઆટલા ચારિત્ર-કષ્ટનું ફળ આવશે ?” વગેરે વમળમાં ન પડે. એમ ઉત્સર્ગ–અપવાદ બંનેની અશ્રદ્ધા ટાળે. “મુખ્ય માર્ગ આટલો ઝીણો હશે ?” આ ઉત્સર્ગની અશ્રદ્ધા. એમ અપવાદ અંગે અશ્રદ્ધા એ થાય કે આ અપવાદ વ્રતભંગ ન કરે?” મેતાર્યના જીવ પૂર્વભવે મુનિને મનમાં થયું કે “અહિંસાદિ જૈનચારિત્ર તે ઉત્તમ, પરંતુ અચિત્ત પાણીએ જરા સ્નાન કર્યાનો શું વાંધે તે એનો નિષેધ કર્યો?” આ ઉત્સર્ગમાં ચિત્તભ્રાન્તિથી એમને નીચ ગોત્ર બાંધી ભંગ ના પેટે અવતરવું પડયું ! એમ શિવભૂત મુનિએ અપવાદમાં આશંકા કરી કે “મુનિને વસ્ત્ર-પાત્રનો પરિગ્રહ શા માટે ? તેથી એ દિગંબર મત કાઢવા સુધી ભ્રમમાં પડ્યો ! અબહુમાનથી વિપર્યયમાં-બ્રાતિમાં ન પડે એટલે કે ચારિત્રના અંગે પ્રત્યે જરાય અભાવ ન થાય. કહે છે કે
SR No.022349
Book TitleUcch Prakashna Panthe
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay Gani
PublisherVardhaman Jain Tattvapracharak Vidyalay
Publication Year1966
Total Pages584
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy