SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૪ [પંચસૂત્ર-૩ છે. આમ દીક્ષા લતાં સાચવવાની આવશ્યકે રહસ્યભર્યા છે. (૬-૭) હવે દીક્ષા સ્વીકાર કરવાને તે પ્રશસ્ત નિમિત્તે યાને શુભ શુકન, શુભ શબ્દ, શુભ તિથિ-વાર-નક્ષત્ર-કરણ–ચાગલગ્ન જોઈને કરવાને, કેમકે એ કાર્યમાં ઉલ્લાસ પ્રેરે છે, અને કાર્યને યશસ્વી બનાવે છે. ખરાબ નિમિત્તેમાં આદરેલું કાર્ય પાછા પાડે છે, ને અનર્થ કરે છે એ જગતને ઘણે અનુભવ છે. માટે સારાં નિમિત્ત પકડીને દીક્ષા ગ્રહણની ક્રિયા કરવી. કિયા એટલા માટે જરૂરી છે કે એથી “ગુરુના હાથે હું દીક્ષિત થયે છું” એ ભાવ પર નમ્રતા રહે, આજ્ઞા-પ્રતિબદ્ધતા રહે. અરિહંત-મુનિઓ વગેરેની સાક્ષીથી દિલ પર જવાબદારીને ભાર આવે. તેમજ કલ્યાણ ગુરુઓના હસ્તે કાર્ય થાય તેમાં વિશેષ પવિત્રતા–પ્રભાવકતા આવે. ક્રિયાને બદલે, એમને એમ હું હવે સાધુ” એવી કલ્પનાથી બેસી જવામાં આ લાભ ન મળે. (૭) “મંત્રિત વાસક્ષેપ મારા માથે પડે છે” એ ખ્યાલ ચિત્તના ભાવને વિશેષ ઉજજવળ અને ઉત્સાહી બનાવે છે. મંત્રિતને પ્રભાવ અજબ હેય છે. (૮) ચારિત્ર સ્વીકારતાં સમયે સમયે અતિ ઉત્સાહ, આનંદ અને વિશુદ્ધ ભાવોલ્લાસને વધારતો ચાલે છે તે સ્વીકાર વખતે ઊંચા સંયમ અધ્યવસાયને સ્પર્શવા માટે જરૂરી છે. એની, પછીના આખા ચારિત્રજીવન પર, અસર પડે છે. ચારિત્ર સિંહની જેમ લઈ સિંહની જેમ પાળવાનું બને છે. ત્યાં લોકોત્તર ભાવવંદન-દેવવંદન-ગુરુવંદનની શુદ્ધિએ દિલને વિશેષ ભાવેલ્લાસથી ભર્યું ભર્યું કરી દે છે. આમ આ બધું સાચવીને પ્રવજ્યા સ્વીકારે, તે સમ્યગ રીતે,
SR No.022349
Book TitleUcch Prakashna Panthe
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay Gani
PublisherVardhaman Jain Tattvapracharak Vidyalay
Publication Year1966
Total Pages584
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy