SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૦ [પંચસૂત્ર-૩ છે. ધીર ગંભીર પુરુષે આ પરિણામ જેનારા હેય છે. (એમ) એ માણસ ઔષધ લાવીને માબાપને જીવાડે. (જીવાડવાને) સંભવ હેવાથી માણસને ઉચિત આ ત્યાગ છે. વિવેચન –અસ્થાન-ગ્લાન-ઔષધાથે ત્યાગને ન્યાય શો છે? એ સ્પષ્ટ કરવા અહીં “અસ્થાને” અર્થાત્ કઈ વન જેવામાં, “લાન=બિમાર પડેલા માટે ગામમાં જઈ ઔષધ લઈ આવવા એ બિમારને ત્યાગ કરે” અર્થાત્ છેડીને જાય, એનું દષ્ટાંત અહીં સમજાવે છે. પછી એ ચારિત્ર લેવામાં કેવી રીતે ઘટે તે બતાવશે. દષ્ટાંત આ પ્રમાણે –કે એક ગમે તે નામનો પુરુષ માબાપ સાથે અટવીમાંથી પસાર થઈ રહ્યો હતો. અટવમાં અસ્થાને જ, કે જ્યાં ઔષધાદિ કાંઈ ન મળે, ત્યાં તેના માતાપિતાને એકાએક એ ભયંકર રોગ થઈ આવે, કે તેને મટાડવામાં ન આવે તે તેમના પ્રાણને નાશ થાય તેમ છે. વળી માતાપિતા એટલા અશક્ત છે, કે હવે તે ચાલી શકે તેમ નથી. છતાં તેઓ હજી થોડો વખત જીવી શકે તેમ છે. રેગ એકલા પ્રયત્ન મટે તેમ નથી, તેને યોગ્ય ઔષધની જરૂર છે. તે ઔષધ શહેરમાં મળતું હોવાથી, તે લેવા જવા માટે પુત્ર માતપિતા પાસે રજા માગે છે. પરંતુ મેહને વશ થયેલા તે પિતાના પુત્રને રજા નથી આપતા. “અમે મરશું તે મરશું, પણ તું ને જઈશ,” એમ તે કહે છે. હવે ડાહ્યો પુત્ર શું કરે ? ના જાય? જાય. માબાપની ઘણું ના છતાં પણ, પેલે વિવેકી માણસ પોતે ઔષધ લેવા નિમિત્ત જે જાય છે, તે દેખીતી રીતે તે માતા-પિતાને છોડનારે છે, પણ વસ્તુતઃ કહીએ તે એમને નહિ છેડનારે છે, એમને સાચવનારે છે; કેમકે એ
SR No.022349
Book TitleUcch Prakashna Panthe
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay Gani
PublisherVardhaman Jain Tattvapracharak Vidyalay
Publication Year1966
Total Pages584
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy