SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૩ શુભ ધ્યાન કરવાનું મારે ઘણું છે, અને તે જ્યારે અહિં શક્ય છે, તે એજ કરીશ.”—આ નિશ્ચય અહીં શક્ય છે, ને અમલ પણ અહીં શક્ય છે. “વળી આ તે કાળ છે કે જ્યાં વિષય પ્રત્યે વિરાગી બની સર્વવિરતિ આદરી શકું. બીજા કેઈ ભવમાં સર્વવિરતિ પણ જે શક્ય નથી, તે પછી અપ્રમત્તતા, ક્ષપકશ્રેણી, વીતરાગતા, કેવળજ્ઞાન, શિલેશી, અને મેક્ષની તે વાત જ ક્યાં? ઓહ આવા અમૃતકાળને હું વિષયોની ગુલામીમાં વિષકાળ કરી રહ્યો છું ! ભાન નથી કે જે ઝેર પાછા મને જ પીડવાના છે! માટે હવે તે અહિંસા-સંયમ-તપના શ્રેષ્ઠ ધર્મની સાધનાને યેગ્ય આ અમૃતકાળને એ સાધના દ્વારા સફળ કરી લઉં. “કે મમ કાલે, કિમ એઅસ ઉચિતં 'એના પર આવી આવી ધર્મજાગરિકા કરવી, અને મેહનિદ્રાને અટકાવવી. માણસને ઈદ્રિના વિષયે મુંઝવે છે, તથા મૃત્યુનું સ્મરણ અને મૃત્યુની ભયાનકતાને જાગતે ખ્યાલ નથી રહેતું તેથી મેહનિદ્રા ચડી બેસે છે. એ અટકાવવા, આ પણ ધર્મ જાગૃતિ રાખે કે, સૂત્ર-સારા વિચા, નિગમ મિળો, વિરાવવાળા | भीसणो मच्चू, सव्वाभावकारी, अविनायागमणो, ४अणिवारणिज्जो, "पुणो पुणोऽणुबंधी। અર્થ -વિષે અસાર છે, અવશ્ય છૂટા પડનારા છે, ને અંતે કટુ ફળ દેનારા છે. મૃત્યુ ભયંકર છે, સર્વથી રહિત કરનારું છે, અજ્ઞાત આગમનવાળું છે, અનિવાર્ય છે, ફરી ફરી આવનારું છે.
SR No.022349
Book TitleUcch Prakashna Panthe
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay Gani
PublisherVardhaman Jain Tattvapracharak Vidyalay
Publication Year1966
Total Pages584
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy