SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ પ્ર-ભાવમંગળ તે શુભ અધ્યવસાયને કહેવાય છે, ત્યારે અહીં તે અહિંસા, સત્યાદિ, ઉત્તમ આચાર વગેરેનાં સવિધિ પ્રવર્તનને ભાવમંગળ કહ્યું એ શી રીતે ? ઉ૦-સાધુધર્મની પરિભાવનારૂપે જે સવિધિ પ્રવર્તન કરી ઉત્તમ ગ્ય આચાર આચરાય છે, એ નિષ્પન્ન થતાં, સિદ્ધ થતાં, અશુભ ભાવના કર્મોને ક્ષયે પશમ (આંશિક નાશ) થાય છે; અને આત્મા શુભ ભાવ અતિ શુભ અધ્યવસાયના સુંદર પરિણામવાળે બને છે. આમ શુભ પરિણામરૂપ ભાવમંગળનાં અસાધારણ કારણભૂત છે વિધિપૂર્વકનાં ધર્મપ્રવર્તન; એ પણ ભાવમંગળ કહી શકાય. દૂધ અને ઘીમાં ઘણું અંતર છે. છતાં દૂધ પર મેળવણુ, દહીં, માખણ, તાવણની પ્રકિયા થતાં એજ ઘી બને છે. એવી રીતે વિધિપૂર્વક અને જિનવચનને તથા વ્રતને અબાધક આચાર સાથે વ્રતનું પાલન થાય એ શુભ ભાવમાં પરિણમે છે; અર્થાત ભાવમંગળ બને છે. ધ્યાનમાં રહે અહિં વિધિપર ખાસ ભાર મૂક્યો. કેમકે વ્રત લે, પાળે, તપ-જપ કરે, પરંતુ પૂર્વે કહેલા આગમ-ગ્રહણ, અધર્મમિત્ર-ત્યાગ, ધર્મમિત્રો પાસના, લેગવિરૂદ્ધને ત્યાગ, શુદ્ધ મન-વચન-કાયાની ક્રિયા, પરિવારને અસંતાપ અને ગુણકારિતા, દયા અને નિર્મમતા વગેરે જે ન સાચવે, તે શુભ અધ્યવસાય પામવા દુર્લભ છે. જેમ, તપ ઘણે જ કરે, પરંતુ તપના પારણે આહારને ઘણું જ સ્વાદવૃત્તિથી ખાય, તેમાં તન્મય બને, તેમ જ ઘણું જ ખાય, તે તેને તપને સ્વાદ કયાંથી આવી શકે ? તપ કરતી વખતે પેલી ખાવાની અને સ્વાદની વાસનાને યાદ લાવ્યા કરે, ત્યાં તપની સુવાસ એ નહિ પામે. કેમકે તપ
SR No.022349
Book TitleUcch Prakashna Panthe
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay Gani
PublisherVardhaman Jain Tattvapracharak Vidyalay
Publication Year1966
Total Pages584
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy