SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૧ માટે કરે છે; એ પાપમાં સંમતિ આપી એને વધાવી લેનારા હોય છે. દા. ત. આજે પૈસા ઘણા છે તે તે કહેશે કે “બીજી પેઢી ખોલે. બંગલા મેટર વગેરે વસાવે, ધંધે ગમે તે કરે પણ પિસા ભેગા કરે. કસર ન કરતા, સારી રીતે ખાઓ, પીઓ, ભેગા,” આવી પાપ-વૃદ્ધિની જ સલાહ આપે છે. કલેશ-કલહ, અહંકાર-દંભપ્રપંચ, વિલાસ-દુરાચાર, અસત્ય-અનીતિ વગેરેની સલાહ અકલ્યાણમિત્રો આપતા રહે છે, સહાય પણ કરે છે. કેમકે એમાં એને રસ છે. આવા માણસોને દાન કરે, ત્યાગ–તપ કરે, અહિંસાદિ વ્રત લે, સદાચારે પાળે, ધર્મશ્રવણ કરે, દેવ-ગુરુ-સેવા કરે, વડિલ જનેની આમન્યા રાખે, શાસ્ત્ર ભણો, શાસન-પ્રભાવના કરે, સાત ક્ષેત્રની ભક્તિ કરે...” આવી આવી સલાહ-ઉપદેશ આપવાનું ક્યાંથી આવડે ? એ તે પિતાના અધમ રસ, પોતાના તુચ્છ સ્વાર્થ અને પિતાના પૌગલિક આદર્શ મુજબ જ બીજાને દેરવાને. એવા અકલ્યામિત્રના સંગમાં ફસાયા કે મર્યા ! ધર્મના એ લૂંટારા છે. મહાવીર પ્રભુના જીવ મરીચિને દુરાગ્રહી કપિલ રાજકુમાર અકલ્યાણમિત્રને વેગ થયો. મરીચિએ એને રાજી કરવા સંન્યાસી પરિવ્રાજકપણામાં પણ શુદ્ધ ધર્મ હોવાનું ઉસૂત્ર ભાષણ કર્યું. આમ મરીચિ નવા પ્રાપ્ત થયેલ સમ્યગ્દર્શન ગુણની દુર્લભતા અને મહત્વ ભૂલ્યા, અનાદિ-સિદ્ધ મિથ્યાત્વને જાગતું કર્યું, અને એથી એમને એક કડાછેડી સાગરોપમ–પ્રમાણુ સંસાર-વૃદ્ધિ થઈ ! અકલ્યાણમિત્ર કપિલ વળી શિષ્ય બન્યા પછી પણ આ મિથ્યાત્વદમાં એ સહાયક બન્યું હશે કે મરીચિએ એ દેષનાં પશ્ચાત્તાપ પ્રાયશ્ચિત્ત ન કરવાથી પછીના ભવેના ભવ
SR No.022349
Book TitleUcch Prakashna Panthe
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay Gani
PublisherVardhaman Jain Tattvapracharak Vidyalay
Publication Year1966
Total Pages584
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy