SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૯ ગુણો ઉપશમ, સમાધિ, ત્યાગ, વૈરાગ્ય તથા અહિંસા સત્ય વગેરે છે, તેનાં મૂલ્ય અગણ્ય છે; તે જ આત્માના સાચા ઉપકારી છે, એથી જ ભવિષ્યનો અંનતે કાળ ઉજજવળ બનાવનાર છે, ઈત્યાદિ એમને હૃદયમાં સચોટ ઠસાવવું જોઈએ. આનંદ કામદેવાદિ શ્રાવકો મહાવીર પ્રભુ પાસે સમ્યગ્દર્શન અને વ્રતધર્મ પામી આવ્યા પછી ઘરે પત્નીને એ સમજાવી કલ્યાણમિત્ર બનાવી. તેથી એ પત્નીએ . જાતે ધર્માત્મા બની. પતિને ધર્મસાધનામાં સારી અનુકૂળ થઈ. નંદમણિયાર –આથી ઉલટું જે અકલ્યાણમિત્રરૂપ નેહીપરિવારના રંગમાં આપણે તણાયા તે આપણું બેહાલ થાય છે, પામેલે ધર્મ ઠેકાણે પડી જાય છે. નંદ મણિયાર શ્રી પાર્શ્વપ્રભુના શાસનને શ્રાવક, પણ પાછળથી મુનિએ અને ધર્મશ્રાવકના સંગ છૂટી અકલ્યાણમિત્ર સંસારના દલાલોના સંગમાં તણાયે. એ લોકો તે અર્થ-કામના જ ગુણ ગાય. નંદ ત્યાં એ જેવું ભૂલ્યા કે “આ મેં મુનિઓ પાસેથી અહિંસાદિ ગુણે નવા પ્રાપ્ત કર્યા છે, અને આ લોકો વાત કરે છે તે આરંભ-પરિગ્રહાદિ દે તે અનાદિન છે જ. એને આવા કુસંગથી ઉશ્કેરાવાનું અને દઢ થવાનું થશે ! માટે આનાથી આઘે રહું ! ” ના, આ જોયું નહિ, તેથી કલ્યાણમિત્રને સંગ છેડી અકલ્યાણમિત્રોના સંગમાં રહ્યો ધર્મ અને ગુણોમાં શિથિલ થઈ અસંખ્ય અકાય જીવ અને બીજા અગણિત ત્રસ જીવોની હિંસામય વાવડીમાં ધર્મ માની વાવડી બંધાવી. એની ખુશીની લેગ્યામાં તિર્યંચગતિનું આયુષ્ય બાંધી મરીને એમાં જ દેડકા તરીકે ઉત્પન્ન થયો ! આ પરથી સમજવાનું છે કે આપણે કુટુંબીઓ શું, કે બીજા શું, એમને કલ્યાણમિત્ર બનાવવા જોઈએ, જેથી એ
SR No.022349
Book TitleUcch Prakashna Panthe
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay Gani
PublisherVardhaman Jain Tattvapracharak Vidyalay
Publication Year1966
Total Pages584
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy